SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧. મરણ પામ્યા.૩૨૫ અને જેઓ જીવતા રહ્યા તેઓ પણ માંસભક્ષણ કરવામાં આસક્ત બની ગયા તેમજ કેટલાએક તે અનુક્રમે તે ગામને ત્યાગ કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. તે વેળા પેલે ધનદેવ પણ અન્ન ખૂટી જવાને લીધે દુ:ખી થઈને કોઈએક સાર્થની સાથે પિતાની સ્ત્રી સહિત સમીપના દેશમાં જવા નીકળે.૩૨૭ તે વેળા સાર્થ( મનુષ્યોને કાફલો)ને સમગ્ર લેકે માંસભક્ષણ કરીને જ પિતાની જીવિકા કર્યો જતા હતા. પણ પેલાં બન્ને સ્ત્રી પુરુષો તો માર્ગમાં કોઈ પ્રકારનું અન્ન નહિ મળવાથી નિરાહાર રહીને જ આગળ વષે જતાં હતાં. ૨૮ પછી તો અન્ન નહિ મળવાને લીધે માર્ગમાં ચાલવા માટે તેઓ અશક્ત થઈ પડ્યાં, જેથી મૃત્યુના ભયથી આતુર બનેલાં તેઓએ પરસ્પર આવો વિચાર કર્યો –૩૨૯ “જે સ્થળે અને પુષ્કળ છે તે દેશ અહીંથી બહુ દૂર છે, આપણે આગળ જવા માટે હવે અશક્ત છીએ, અને જીવનપર્યત પણ આપણે આપણું ગ્રહણ કરેલા નિયમને તો પાળવાજ છે.૩૩૦ માટે બલાત્કારે પણ આપણું મૃત્યુ હવે આવી પહોંચ્યું છે, તો સકામનિર્જરા કરીને પોતાની મેળે જ જો સધાતું હોય તો આપણો જન્મ ખરેખર નિર્મળ-શુદ્ધ થાય.” ૩૩ આવો વિચાર કરી તે દંપતીએ શુદ્ધ મનથી અનશન કર્યું અને દેહનો ત્યાગ કરી પહેલાં સ્વર્ગલોકમાં તેઓ ગયાં. ૩૩એ પ્રમાણે પૂર્વજન્મમાં તમે બંનેએ હિંસાને તથા માંસભક્ષણને ત્યાગ કર્યો હતો તથા નિયમનું બરાબર પાલન કર્યું હતું, તેથી તમને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે.૩૩૪ પહેલા સ્વર્ગલોકમાંથી અવીને તું મેઘરથ (હેમરથ) નામને વિદ્યાધર થયો છે અને યશોમતી (ધનદેવની સ્ત્રી) આ મદનમંજરી રૂપે ઉત્પન્ન થઈ છે.”૩૩૪ મુનિ પાસેથી પિતાનો એ પૂર્વજન્મ સાંભળીને તે દંપતી (હેમરથ અને મદનમંજરી ) નું મન તે વિષે અનેકાનેક તર્ક-વિતર્ક કરવા (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy