________________
તેને અપર એર હો દયો.૨૯ત્યા
પ્રસ્તાવ ૧ આવ્યો; જેથી આ તો અપશુકન થયાં; એમ માનીને રાજા ત્યાં ઉભો રહ્યો.૨૩૭ પછી થોડો વખત ત્યાં ઉભા રહીને તે આગળ વધે એટલે જાણે જીવતી હોય તેમ ચોતરફ સર્વ પ્રકારનાં કાર્યોને કરી રહેલી કેટલીએક પુતળીઓ તેના જેવામાં આવી. ૨૩૮ એ રીતે વિચિત્ર પ્રકારનાં અનેક આશ્ચર્યોને જેતે જોતો રાજા મહેલના અદ્દભુત સાતમા માળ ઉપર ચઢો.૨૩૯ ત્યાં વિદ્યાધરને રાજા સિંહાસન ઉપર બેઠો હતો. તેણે રાજાને આવતા જોઈ સન્માનપૂર્વક તેને અભ્યત્થાન આપ્યું, અને પ્રણામ કરી તુરતજ પિતાના આસન ઉપર તેને બેસાડવો. પછી તે વિદ્યારે પોતાની પત્ની મદનમંજરીને ત્યાં બોલાવી એટલે તે પણ ત્યાં આવીને પિતાના પિતાના ચરણમાં પ્રણામ કરી બે હાથ જોડીને ઉભી રહી ૨૪૦–૨૪૧ રાજાએ પિતાની પુત્રીને ઓળખી લીધી અને મનમાં ખેદ પામી આવો વિચાર કર્યો કે, “ એ વિધાતા ! કઈ પુરુષના વંશમાં તું પુત્રી આપીશ નહિ. કેમકે તે, ઘુણ નામના કીડાઓની પેઠે પિતાના જન્મસ્થાનનેજ એકદમ દૂષિત કરે છે. ખરેખર સ્ત્રીમાત્ર લક્ષ્મીના જેવી ચંચળ હોય છે, નદીની પેઠે નીચ મનુષ્યો સાથે ગમન કરનારી હોય છે, અને સંધ્યાની પેઠે એક ક્ષણવાર રાગ (રંગ તથા સ્નેહ) વાળી જોવામાં આવે છે. માટે જ તે કુળને દૂષણ આપનારી થાય છે. ૨૪ - ૨૪૪ દૈવે સ્ત્રીમાત્રને પ્રત્યક્ષ છરીની પેઠે નાશ કરનારી ઉત્પન્ન કરી છે. કેમકે તે જે કંઠમાં લાગેલી હોય–વળગેલી હોય તે ક્ષણવારમાં મનુષ્યને પ્રાણુ રહિત કરે છે. ૨૪૫ ખરેખર, મારી આ પુત્રી કુળને કલંક લગાડનારી જન્મી છે. કેમકે આણે પિતાના પરિણીત વરનો ત્યાગ કરી બીજા વરને આશ્રય કર્યો છે.” ૨૪૬ એ પ્રમાણે રાજા ચિંતામાં પડી જઈને મનમાં ખેદ કરતો હતો, તે જોઈને વિદ્યારે કહ્યું – “તમે વ્યર્થ સંશય કરે મા.૨૪ તમે કેપ કરીને આ મદનમંજરીને જે કઢીઓ વર પરણાવ્યું હશે તે જ હું પોતે છું. ખરેખર
(૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org