________________
પ્રસ્તાવ ૧ કઢીઓ આમતેમ લટ હતા, નિઃશ્વાસ નાખતો હતો અને કષ્ટ ભરેલી અવસ્થામાં રહેતો હતો. પતિવ્રતા પિલી રાજપુત્રી પણ પિતાના પતિની સેવામાં નિત્ય પરાયણ રહેતી હતી. ૨૦૦ એક દિવસે પેલો કેઢીએ રાજપુત્રીના આંતર અભિપ્રાયને જાણવાની ઇચ્છાથી મધ્યરાત્રે નિવાસ નાખીને તૂટક અક્ષરે તથા મંદસ્વરે કહેવા લાગ્યો. ૨૦૧ “ઓ ભાગ્યશાળી સુંદરિ ! હું કાઢી , ભાગ્યહીન છું, તું મારા ચરણ શા માટે દાબે છે-સેવે છે? શું તે સાંભળ્યું નથી ? ૨૦૨
"राजदण्डो ज्वरः कुष्ठपीनसं नयनामयम् । पञ्चैते व्याधयो राजन् ! संक्रामन्ति नरान्नरम् ॥२०३॥
રાજાનો દંડ, તાવ, કોઢ, નાકનો રંગ અને નેત્રનો રોગ આ પાંચ વ્યાધીઓ એક મનુષ્યમાંથી બીજા સમીપ રહેનારા મનુષ્યમાં પણ દાખલ થાય છે. ૨૦૩ જેથી તારું આ સ્વરૂપ કે જે ઉર્વશીના રૂપને પણ જીતી શકે તેવું છે, તે અફસ ! મારા સંગના દોષથી કાંજીના સંગથી દુધની પેઠે તત્કાળ વિનાશ પામશે. ૨૦૪ એક સુંદરી ! હજી પણ કંઈ બગડયું નથી. તું તારા મામાને ઘેર ચાલી જાય અથવા કાઈ બીજો પતિ કરી લે.” ૨૦૫ તે સાંભળી રાજપુત્રી પતિને કહેવા લાગી, “હે પ્રિય! તમે આમ ન બેલો કેમકે કુળવાન સ્ત્રીઓને પોતાના માતા પિતાએ આપેલો એકજ પતિ હોય છે. ૨૦૬ અરે ! જે કુળવાન સ્ત્રીઓ પણ બીજો પતિ કરશે તે પછી તેઓમાં અને વેશ્યાઓમાં શે ભેદ રહેશે ? ૧૦૭ માટે હે નાથ ! તમે જ મારા જીવન પર્યત મારા પિતાએ આપેલા પતિ છો, કેમકે રાજાઓનું તથા સત્પરૂષનું વચન અને કન્યાનું દાન એકજ વખત હોય છે. ૨૦૮ રાજપુત્રીનું એ વાક્ય સાંભળી કાઢીએ મનમાં પ્રસન્ન થયો. તેણે ફરી પણ કહેવા માંડ્યું કે, “તું કહે છે તે સત્ય છે, પણ તારું એ વચન સ્ત્રી પુરૂષની સમાનતામાંજ ઘટી શકે છે અર્થાત સ્ત્રી અને પુરૂષનું જોડું જે સમાન
( ૨૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org