________________
ઉપકેશ નગરનું વર્ણન વશ્ય આશ્ચર્યજનક છે. માટે જ તેનું અહીં વર્ણન કરવું તે યોગ્ય છે. કેમકે આ કાળમાં તેનું કર્મ ખરેખર અપૂર્વ ગણાય. જેમ કોઈ એક જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને અપૂર્વકરણથી તેના ગુણોનું જે વર્ણન કરવામાં આવે તે કંઈ અયોગ્ય ગણાય નહિ. (તેમજ આ શ્રી શત્રુંજય સમુદ્ધારનું વર્ણન પણ યોગ્ય જ છે.) જે ગુરુએ શ્રી જિનેશ્વરની સમુદ્ધરેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે અને જે શ્રાવકે એ પ્રતિમાનો ઉદ્ધાર કરાવ્યા છે, તેઓ બને–પ્રતિષ્ઠા અને ઉદ્ધાર કરનારા પુણ્યશાળી મહાપુરુષોનું ચરિત્ર હું વર્ણવું છું. કેમકે કળિકાળમાં તેઓ બન્નેએ મહાન (શુભ) કર્મ કરેલું છે.૧૨-૧૩ કે આ મહાપુરુષોના ચરિત્રનું વર્ણન કરવા માટે સાક્ષાત્ બૃહસ્પતિ પોતે પણ સમર્થ નથી, તો પછી મારા જેવા પુરુષમાં તેઓના ચરિત્રાનુવાદ કરવાની શક્તિ હોય જ ક્યાંથી ?૪ વળી મારી બુદ્ધિ મંદ છે છતાં પણ હું મારી શક્તિ પ્રમાણે તેઓના ચરિત્રનું વર્ણન કરવા તૈયાર થયો છું. દાખલા તરીકે મયૂર નૃત્યકળાને જાણતો નથી છતાં પણ હર્ષને લીધે શું નૃત્ય કરતો નથી ? પાંગળા મનુધ્યમાં ઉતાવળે ચાલવાની શક્તિ હોતી નથી, છતાં પણ તે ધીમે ધીમે શું ચાલતો નથી ? ઠીંગણે મનુષ્ય વૃક્ષનું ફળ લેવા પહોંચી શકતો નથી તે પણ તે હાથને લંબાવતો નથી કે એજ પ્રમાણે હે ભવ્ય જન ! આ કળિકાળમાં પણ પાપનો નાશ કરનારું એ મહાપુરૂષાનું ચરિત્ર, મેં જે પ્રમાણે જોયું છે તે પ્રમાણે હું વર્ણવું છું, તેનું તમે આદરપૂર્વક શ્રવણ કરો.
ઉપકેશ નગરનું વર્ણન મસંદેશ (મારવાડ)ને અલંકારરૂપ ‘ઉપકેશ નામનું એક શ્રેષ્ઠ નગર છે. તે નગર પૃથ્વી ઉપરના સાથિઓ જેવું હોઈને સ્વાભાવિક રીતે જ સુંદર છે.૧૮ તેના બાગબગીચાઓ અનેક વૃક્ષોથી ભરપૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org