________________
પ્રસ્તાવ ૧.
तं जिनं नौमि नाभेयं यदकं वृषभः श्रितः ॥
लेभे धवल इत्याख्यां विश्वधूर्वहनक्षमः ॥१॥
નાભિ રાજાના પુત્ર શ્રી આદિ જિનેશ્વર ભગવાનની હું સ્તુતિ કરું છું, કે જેમને લાંછન રૂપે આશ્રય કરીને વૃષભ (બળદે) જગતની ધુરાને વહન કરવામાં સમર્થ “ધવલ” એવી સંજ્ઞા પ્રાપ્ત કરી.
સર્વ જિનેશ્વરમાં જેમણે એકાકીએજ રાગાદિ મહાન શત્રુઓનો પરાજય કર્યો છે અને તેથીજ જેમણે “વીર” એવું નામ પ્રાપ્ત કર્યું છે, તે શ્રી વીર ભગવાન તમારું કલ્યાણ કરે.
તે સિવાયના બીજા પણ તીર્થકરૂપી સૂર્યો, સજ્જનોના દેષરૂપી રાત્રિનો સંહાર કરનારા થાઓ, કે જેઓના હાથરૂપી કિરણોના સ્પર્શમાત્રથી ભવ્યરૂપી કમળપક્તિ પ્રફુલ્લિત થાય છે.?
જેમની કૃપાથી હું જડ હોવા છતાં મોતીના સ્વરૂપને પામ્યો છું. અર્થાત્ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયો છું, તે મારા ગુરુશ્રીને હું સ્તવું છું. ખરેખર તે મારા ગુરુમહારાજને મેતીની છીપના સંપુટની જ ઉપમા ઘટી શકે છે. ( કેમકે તેમના સંપર્કથી જ હું મોતી. જેવો થયો છું.)
જેમની સેવાથી હંસ પક્ષી પણ શુદ્ધ પક્ષવાળા (ઉજજવળ પાંખેવાળા) થયેલ છે અને દૂધ તથા પાણીનું પૃથક્કરણ કરવામાં કુશળ થયેલ છે તે શ્રી સરસ્વતી દેવી મારા પર કૃપા કરો."
(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org