SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમરસિહ ખરેખર દાનવીર હતા. એક વખતે કોઈ ગવૈયાએ તેની પ્રશંસાનું એક ધ્રુવપદ કહ્યું એટલે તેને એક હજાર ટંક આપી દીધા. ત્યાર પછી કુતુબુદ્દીનની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યું. તેણે પણ સમરસિંહનું સન્માન કરી બાદશાહની પેઠે પ્રેમપૂર્વક પુત્ર તરીકે તેને સ્વીકાર કર્યો. સમરસિંહની લાગવગ ઘણુ જ વધી ગઈ. પાંડુદેશના વીરવલ્લભ નામના રાજાને બાદશાહે કેદ કર્યો હતો. તેને સમરસિંહે. છેડાવી પિતાના દેશમાં પુનઃ ગાદીએ બેસાડયો. તેથી તેમને “રાજ સંસ્થાપનાચાર્ય' એવું બિરુદ મળ્યું. બાદશાહનું ફરમાન મેળવી ધર્મવીર સમરસિહે જિનની જન્મભૂમિ મથુરા અને હસ્તિનાપુરમાં જિનપ્રભસૂરિ સાથે સંઘપતિ થઈને સંઘ સાથે જઈ તીર્થયાત્રા કરી. હવે તિલંગ દેશમાં ગ્યાસુદિન બાદશાહનો પુત્ર ઉલ્લખાન સુબા તરિકે હતો, તેની પાસે સમરસિંહ ગયો. અને તેણે પણ સમરસિંહને પિતાને ભાઇ ગણી તિલંગના અધિપતિ તરિકે નિમ્યા. તેણે તુર્કોને હાથે કેદ પકડાયેલા અગીયાર લાખ માણસોને છોડાવ્યા. અનેક રાજા, રાણું અને વેપારીઓ ઉપર સમરસિંહે ઘણે ઉપકાર કર્યો. સર્વ દેશથી આવેલા શ્રાવકોને કુટુંબ સહિત તિલંગ દેશમાં વસાવી ઉરંગલપુરમાં જિનાલયો કરાવી જૈન શાસનરૂપી સામ્રાજ્ય એકત્ર કર્યું. સમરસિંહે તિલંગને સ્વામી થઈને તેણે પિતાના પૂર્વજોને દીપાવ્યા અને જિનશાસનમાં તે એક ચક્રવર્તી જે થયો. તેણે ન્યાયપૂર્વક તિલંગદેશનું રક્ષણ કર્યું અને કલિયુગમાં કૃતયુગનો અવતાર કરીને તે સ્વર્ગમાં ગયો. હવે પ્રબન્કાર પ્રબન્ધની સમાપ્તિ કરતા છેવટે જણાવે છે કે “૧૩૯૩ માં વર્ષે સિદ્ધસૂરિના શિષ્ય આચાર્ય કક્કરિએ કાંજરોટપુરમાં રહીને આ પ્રબન્ધની રચના કરી છે.” ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy