________________
કહ્યું કે હવે મારું આયુષ માત્ર એક માસ બાકી છે જ્યારે તે
આઠ દિવસ બાકી રહે ત્યારે તમારે મને સંઘની સિદ્ધસેનસૂરીનું ક્ષામણપૂર્વક અનશન કરાવવું. કલિયુગમાં આવું સ્વર્ગગમન. વિશિષ્ટ જ્ઞાન હોય શું એમ શંકા લાવી કડકસૂરિએ
કહેલા દિવસે ગુરુને અનશન ન કરાવ્યું. ગુએ સ્વયમેવ બે ઉપવાસ કર્યો, અને સંઘસમક્ષ અનશન ગ્રહણ કર્યું. સહજપાલ પ્રમુખ બધા શ્રાવકોએ મહોત્સવ કર્યો. તે વખતે પાટણમાં ચાર વર્ણમાને કોઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધ માણસ નહોતો કે જે સૂરિને વંદન કરવા ન આવ્યો હોય. પાંચ જનની આસપાસના ગામમાં એવું કેાઈ પણ ગામ નહતું કે ત્યાંથી માણસે વંદન કરવા ન આવેલા હોય, ત્યાર પછી છ દિવસે કહેલી વેળાએ આચાર્ય સમાધિવડે કાળધર્મ પામી સ્વર્ગે ગયા. તે વખતે નગરવાસી જનાએ હર્ષપૂર્વક તેમનો ઉત્સવ કર્યો. છ દિવસે એકવીશ મંડપવાળું વિમાન તૈયાર થયું એટલે શ્રાવકે તેમાં આચાર્યના શરીરને સ્થાપન કરી ઉત્સવપૂર્વક એક કોશ સુધી તે વિમાન લઈ ગયા, અને તેઓએ ચંદન અગરના કાછવડે તથા કપુરવડે તેમના શરીરને અગ્નિદાહ કર્યો. સંવત્ ૧૩૭૬ ના ચૈત્ર સુદિ ચૌદશે તેઓ સ્વર્ગે ગયા. ત્યારબાદ કરિ ગચ્છનું પાલન કરવા લાગ્યા. તે વખતે
દિલ્હીમાં કુતબુદીન બાદશાહ હતો. તે સમરસમરસિંહનું દિલ્હી સિંહના ગુણ સાંભળી તેને મળવા ઉત્સુક તરફ પ્રયાણ અને ત્યાં થયો. તેણે ફરમાન કાઢી સમરસિંહને બેલાબાદશાહનું સન્માન છે અને તે પણ સર્વ સામગ્રી તૈયાર કરી દિલ્હી
- તરફ ચાલે. દિલ્હી પહોંચતા વાર બાદશાહે સમરસિંહને આદરપૂર્વક બેલાગ્યો. સમરસિંહે પણ વિવિધ પ્રકારની ભેટ બાદશાહ પાસે મૂકી પ્રણામ કર્યા. બાદશાહે તેના ગુણથી સંતુષ્ટ થઈને તેને સર્વ વ્યાપારીઓમાં અગ્રેસરી સ્થાપે. ત્યાં બાદશાહની અવનવી મહેરબાની વડે તેને કેટલાક કાળ વ્યતીત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org