________________
દેશલને પાટણમાં પ્રવેશત્સવ
ઘેર ઘેર કંકુના થાપા કરીને, પ્રફુલ્લિત તોરણ બાંધીને તથા પૂજેલા પૂર્ણ કલશ સ્થાપીને નગરના લેકએ નગરને શણગાર્યું અને ઠેર ઠેર પતાકાઓ બાંધી દીધી.૨૮ તે પછી સિતા વડે જેમનું પડખું શોભી રહ્યું હતું, શ્રીમાન લક્ષ્મણ જેમની સાથે હતા અને રાવણને ભયાનક
એવા શ્રીરામચંદ્ર જેમ અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો તેમ, સમરસિંહે પાટણમાં પ્રવેશ કર્યો. ૨૬૯ તેની પાછળ સંધપતિ દેશલ, દેવાલય તથા ગુરુદર્શનની સાથે પાટણની સ્ત્રીઓના ઓવારણાં ગ્રહણ કરતા નગરમાં દાખલ થયે;૨૭૦ અને માર્ગમાં શ્રદ્ધાળુ મનુષ્યોએ કરેલી યાત્રાની પ્રશંસાને સાંભળતો તેમજ મંગલેને ગ્રહણ કરતો પોતાના ઘર પાસે આવી પહોંઓ.૨૭૧ તે સમયે સુવાસિની સ્ત્રીઓએ દીવ, દૂર્વા (ધરે), અક્ષત તથા ચંદન વગેરે પદાર્થો થાળમાં મૂકીને શ્રીદેશલના તથા સમરસિંહના લલાટમાં પ્રથમ તિલક કર્યું અને તેનાપર ચોખા ચડ્યા.૨૭૨ તે પછી સુંદર ગીતમંડળ થવા લાગ્યા અને ભાટ-ચારણોના જયજય શબ્દ ઉચ્ચારાઈ રહ્યા ત્યારે દેશલે પંચ પરમેષ્ઠિનું મનમાં સ્મરણું કરીને પિતાનું ઘર શોભાવ્યું–પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. ૨૭૩ અને દેવાલય ઉપરથી આદિનાથ ભગવાનને તથા કપદ યક્ષને ઉતારી લઈ પોતાના ઘર દેરાસ૨માં તેણે પધરાવ્યા.૨૭૪ પછી પોતાના પુત્રો સાથે તે આસન ઉપર બેઠે એટલે નગરના લોકોએ તેનાં ઓવારણું લીધાં, તેને આશીર્વાદ આપ્યા તથા વંદન કર્યું. આ બધું જોઈને દેશના નેત્રમાં હર્ષનાં આંસુ ઉભરાઈ નીકળ્યાં.૧૭પ તે વેળા સમરસિંહે પણ પિતાને કૃતાર્થ માનીને નગરવાસી લેકીને વસ્ત્ર, તાંબૂલ વગેરે અર્પણ કર્યા અને તેઓનું સન્માન કર્યું. એટલું જ નહિ પણ ભાટ, ચારણે, બ્રાહ્મણે તથા બીજા યાચકે, કે જેઓ ઉપરાઉપરી આશીર્વાદ આપી રહ્યા હતા તેઓ સર્વને પણ સમરસિંહે સંખ્યા ૨૭૭
(૨૨૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org