________________
પ્રસ્તાવ ૫
માનીને જાણે પૂજતા હોય તેમ, પોતપોતાના સ્વજનોના કંઠમાં તેઓ પુષ્પમાળાઓ પહેરાવવા લાગ્યા. ર૫૯ તેમજ પિતે આણેલાં ભજનો, કે જેમાં મસાલાઓથી મઘમઘી રહેલા ઓસામણ તથા લાડુ મુખ્ય હતા, તેથી આંગતુને-અતિથિઓને જમાડવા લાગ્યા. ૨૦ સંક્ષેપમાં એટલું જ કહેવાય કે, તે વેળા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શક–એમાં તે કોઈ પણ નગરવાસી ન હોત, કે જે દેસલના તથા સમરસિંહના ગુણથી આકર્ષાઈને આગ્રહપૂર્વક તેઓની સામે ન આવ્યો હોય. ૨૬૧ સંઘપતિ દેશલ તથા સમરસિંહ તેઓ પ્રત્યેક મનુષ્યને તાંબૂલ તથા વસ્ત્ર વગેરે અર્પણ કરીને ઘણાજ માનપૂર્વક સન્માન કરવા લાગ્યા.૨૬ ૨
દેશલને પાટણમાં પ્રવેશોત્સવ પછી સંધપતિ દેશલે શુભ મુહૂર્ત નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી એટલે સંધના સમગ્ર લેકે પણ શંગાર કરીને સંઘપતિની પાછળ પાછળ ચાલતા થયા.૨૬૩ સમરસિંહ વગેરે સંઘમાં દેવસમાન જણાતા પુરુષો ઘોડાઓ પર સ્વાર થયા, ત્યારે સંધાધિપતિ દેશલ અલપખાનની પાલખીમાં બેસી સુશોભિત થઇને પાટણ આવવા ચાલતો થયો.૨૬૪ તે સમયે સૌની આગળના ભાગમાં દેવાલય હતું, તેની બન્ને બાજુ શ્રીસિદ્ધસૂરિ વગેરે મુનીશ્વરે તથા બીજા શ્રાવકે ચાલતા હતા અને ચામરધારિણી સ્ત્રીઓ તેની તરફ ચામર ધુણાવતી હતી.૨૬૫ નરઘાં, ભેરી તથા ઢોલ વગેરે વાદિની ગર્જનાને લીધે દિશાઓના વિભાગો ગાજી રહ્યા હતા અને ઝાંઝ વગાડનારી ટોળીઓ, ભગવાનના ગુણનુવાદ ગાઈ રહી હતી, ત્યારે પાટણમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી દેશલ ચાલે.૨૬૬ એ રીતે સંધપતિ દેશલને નગરમાં પ્રવેશ કરતો સાંભળી સર્વ મનુષ્ય, હર્ષપૂર્વક સર્વ ઘર ઉપર આવીને તથા બજારમાં આવીને તેને જોવા માટે એકત્ર થયા.૬૭ તેમજ
(૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org