________________
પ્રસ્તાવ ૫
પ્રસન્ન થઈને પ્રભુ શ્રીસિદ્ધસૂરિએ મેરગિરિ નામના પિતાના એક શિષ્યને “ કસૂરિ' એવા નામથી આચાર્યપદે સ્થાપિત કર્યા.૧૩૬ વિક્રમ સંવત ૧૩૭૧ ની સાલના ફાલ્ગન માસની શુદિ પાંચમને દિવસે કક્કરિને આચાર્યપદ આપવામાં આવ્યું હતું.૨૩૭ તે સમયે તેમના ગુરુપદની સ્થાપનાના સંબંધમાં ચિત્રગચ્છમાં ઉત્પન્ન થયેલા ભીમદેવ નામના એક વિદ્વાને આવો એક લેક ગાય હતો.૨૩૮ ગુરુશ્રેષ્ઠ શ્રીકક્કસૂરિની કેણ સ્તુતિ ન કરે? કેમકે જેમને ઉદય થતાં સર્વ કલ્યાણસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે.”૨૩૯ વળી તે સમયે ધારસિંહ નામના મંત્રીએ સર્વસૂરિઓ, સાધુઓ તથા શ્રાવકેની સમક્ષ કક્કરિના ગુરુપદનિમિત્તે મહત્સવ કર્યો. ૨૪૦ એ રીતે તે જૂનાગઢમાં જ ઉત્સવપૂર્વક પાંચ દિવસ સુધી રહીને તેઓ ફરીથી શત્રુંજય ઉપર જઈને દેશલના સંધને મળ્યા. ૨૪૧
સંઘનું પાટણ તરફ પ્રયાણ દેશલ પણ શત્રુંજય મહાતીર્થમાં ફરી યાત્રા કરીને ગુસ્ની સાથે પાટલાપુર (પાટડી) ગયે. ૨૪૨ તે સ્થળે પૂર્વે જરાસંધની સાથે શ્રીકૃષ્ણનું જ્યારે યુદ્ધ થયું હતું અને તે યુદ્ધમાં શત્રુઓએ આખા સૈન્યમાં જ્યારે ભંગાણ પાડયું હતું, ત્યારે શ્રીનેમિનાથે એકલાએ પિતાનો શંખ વગાડીને એક લાખ રાજાઓને જિતી લીધા હતા. તે સમયે શ્રીકૃષ્ણે ત્યાં નેમિનાથની સ્થાપના કરી.
ત્યાં તે જિનની પૂજા કરી સંધ શંખેશ્વર ગ.૨૪૩+૨૪૪તે પુરના અલંકારરૂપ શ્રીમાન પાર્શ્વજિનેશ્વર છે. જેની પ્રાણુત સ્વર્ગના ઇન્દ્ર ચેપન લાખ વર્ષ સુધી પૂજા કરી છે. આવી રીતે પ્રથમ સ્વર્ગમાં તેના ઈન્દ્ર તેમજ ચંદ્ર, સૂઝે અને પાતાલમાં નાગેન્દ્ર પણ ભક્તિપૂર્વક તેટલાજ વર્ષ તે પ્રભુની પૂજા કરી છે. ૨૪૫-૨૪ વળી ધરણેન્કે પણ જે સમયે પ્રતિ વાસુદેવ જરાસંધની સાથે શ્રીવાસુદેવ–કૃષ્ણનું યુદ્ધ થયું અને તેમાં મરકીના ઉપદ્રવથી પોતાનું સૈન્ય જ્યારે વ્યાકુળ થયું, ત્યારે સિન્યના ભયને
(૨૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org