SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠાવિધાન અને પ્રતિષ્ઠાને તે સમય પાસે આવ્યો, ત્યારે આદિનાથ ભગવાનની સન્મુખ ઉભેલા સર્વ લોકોએ “પ્રતિષ્ઠાનો સમય થયો, થયો.” એમ સર્વ દિશાઓમાં ઉચ્ચ સ્વરે કહેવા માંડયું. તે વખતે શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ જિનેશ્વર ભગવાન ઉપરથી વસ્ત્ર ખસેડી લીધું અને તેમનાં બને નેત્રનું એક જાતના સુરમાવાળું તથા કપૂરવાળું અંજન કરીને ઉન્સીલન કર્યું–અને નેત્રને વિકસ્વર કર્યા. એ રીતે વિક્રમ સંવત ૧૩૭૧ ને માઘ શુદિ ચૌદશને સોમવારને દિવસે પવિત્ર પુષ્ય નક્ષત્ર અને બળવાન મીન લગ્ન હતું ત્યારે શ્રીસિદ્ધસૂરિ ગુરુએ શત્રુંજય પર્વત ઉપર ભગવાન નાભિનંદન ડષભદેવની અચળ પ્રતિષ્ઠા કરી. તે સમયે માંગલિક વાદિત્રો વાગી રહ્યાં હતાં, દેશલ તથા સમરસિંહની ગુણકીર્તિ ગવાઈ રહી હતી અને સ્તુતિપાઠકના ધવળમંગળ વનિઓ થઈ રહ્યા હતા. ૭૩-૭૪ શ્રસિદ્ધસૂરિની પૂર્વે શ્રીવાસ્વામિએ શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી હતી અને તેમના પછી શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ રીતે પ્રતિષ્ઠાની દૃષ્ટિએ શ્રીવાસ્વામી તથા શ્રીસિદ્ધસૂરિ બન્નેની સમાનતા જ ગણાય. વળી શ્રી સિદ્ધચૂરિએ પિતાના તેજથી ભૂમિભાગને પ્રકાશિત કર્યો હતો, તેમને સ્વભાવ સ્વચ્છ હતો, તેમનું સન્ત તથા સાર ઘણું ઉચ્ચ હતાં અને તેમણે શ્રી જિનેન્દ્ર ભગવાનની મુદ્રા ધારણ કરીને સ્થિતિ કરી હતી, જેથી તેમને શ્રીવાસ્વામીની તુલના પ્રાપ્ત થાય તે યોગ્ય જ છે.૭૬ જ્યારે શ્રી સિદ્ધસૂરિએ મુખ્ય ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે તેમની આજ્ઞાથી વાચનાચાર્ય નાગેન્દ્ર મુખ્ય દેરાસર ઉપરના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરી. ૭ અને પછી દેશલે પિતાના સમગ્ર પુત્રોની સાથે આદિનાથ ભગવાનના શરીર ઉપર ચંદનનું તથા કપૂરનું વિલેપન કર્યું અને ઉત્તમ પ્રકારના પુષ્પ ચઢાવીને સાતે (નરકેનો) વિજય કર્યો. તેમજ દેશલે શ્રીજિનેન્દ્ર ભગવાનની આગળ પાંચ પકવાન વગેરે નૈવેદ્ય ( ૨૦ ) ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy