________________
પ્રસ્તાવ ૫
તે સર્વ કર્મો તેઓની પાસેજ તુરત કરાવી લીધાં. ૬૦ તે પછી મુહૂર્તની ઘડી પ્રાપ્ત થઈ ત્યારે શ્રીસિદ્ધસૂરિએ એકચિત્ત થઈને સારા નિમિત્તિઓ વડે અપાયેલા પ્રતિષ્ઠાના ઉત્તમ મુહૂર્તને સાધી આપ્યું. અને પછી ઉત્તમ મુદતે સિદ્ધસૂરિએ જિનેશ્વરની પ્રતિમાને લાલરંગનાં શ્રેષ્ઠ વાથી ઢાંકી દઈને શ્રીખંડ તથા વાસક્ષેપ વગેરેથી તેનું પૂજન કર્યું ને મંત્રો વડે તેને કલાયુકત કરી. તે વખતે સાધુ સમરસિંહ ગુરુની પિષધશાળામાં ગયો અને ત્યાં રહેલા નંદ્યાવર્તના પટ્ટને સુવાસિનીના મસ્તક ઉપર મૂકીને સત્વર આદિનાથ ભગવાનના દેરાસરમાં આવ્યો. ત્યાં એક તરફથી વાદિ વાગવા શરૂ થયાં અને બીજી તરફથી જિનભગવાનના ગુણોને લેકે ગાવા લાગ્યા, ત્યારે સંઘપતિ સમરસિંહે મંડપની વેદિકા ઉપર તે પટ્ટનું સ્થાપન કર્યું.૧૪ પછી સિદ્ધસૂરિપ્રભુ દેવાલયમાંથી નીકળીને તુરતજ એ પની પાસે આવ્યા. અને તેમણે કપૂરના ચૂર્ણથી એ લિખિત મંત્રનું વિધિપૂર્વક પૂજન કર્યું. એ રીતે નંદ્યાવર્ત મંડળ માંડીને મંત્ર-તંત્ર જાણનારા શ્રીસિદ્ધસૂરિએ કપૂર આદિથી તેનું મુદ્રા સહિત પૂજન કરી કળિના દોષને શીધ્ર ભેદી નાખ્યો. તે પછી બીજા પણ સર્વ આચાર્યોએ ત્યાં આવીને ભક્તિપૂર્વક સિદ્ધાંતવિધિમાં કહ્યા પ્રમાણે નંદાવર્તની પૂજા કરી. ૬૭ શ્રીસિદ્ધસૂરિ તો ફરી પણ શ્રી ઋષભદેવ ભગવાન પાસે જઈ પહોંચ્યા અને લગ્ન સાધનની સિદ્ધિ માટે સાવધાન થયા.૬૮ તે સમયે કુંભાનાડાને બહાને ગુરુના હાથ ઉપર જે રાગ લાગેલો હતો તે, પોતાને જિતનારા જિન ભગવાનને શાંત પાડવા માટે જાણે ઈચ્છતો હોય અને તેથી જ ત્યાં આવ્યો હોય તેમ લાગતું હતું. તે પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત જ્યારે પાસે આવ્યું, ત્યારે શ્રી સિદ્ધસૂરિ રૂપાની એક કરીને એક હાથમાં લઈને તેમજ બીજા હાથમાં સોનાની એક સળી લઈને તૈયાર થયા.૭૦
( ૨૦૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org