SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ બિંબનું ઘડવું છવાયેલા મનવાળાં લેકને જ્ઞાન પ્રકાશ અર્પણ કરવામાટે ચંદ્રના જેવા બાલચંદ્ર મુનિ પણ ત્યાં જઈ પહોંચ્યાં. ૧૭૬ તેમણે કારીગરધારા શિલાપાટને ગાડા ઉપરથી ઉતરાવી અને તેને કંઇક હલકી કરાવીને પર્વત ઉપર ચઢાવવાને યોગ્ય કરાવી. ૧૭૭ તે પછી ખાંધે ભાર ઉપાડનારા ચોરાશી પુરુષોને દાન વગેરેથી પ્રસન્ન કરીને એકઠા કર્યા. ૧૮ એટલે તેઓએ યુક્તિથી લાકડીઓ દરડાં વગેરેથી શિલા પાટને બાંધી ખાંધે ઉપાડનારા સર્વ પુરુષોના ખભા ઉપર મૂકી. ૧૭૯ પછી તેઓ ઘણી જ ઝડપથી તેને પર્વત ઉપર ચઢાવવાને ચાલવા લાગ્યા અને સાધુ દેશની પવિત્ર કીતિને જાણે ઉપર લઈ જતા હોય તેમ જણાવા લાગ્યા, ૧૮° જ્યારે ભોજન કરવાનો સમય થતું હતું અને તેઓ ભુખ્યા થઈને જ્યાં વિશ્રાંતિ લેતા હતા ત્યાં સાધુના માણસે તેઓને યથેષ્ટ ભોજન આપતા હતા. ૧૮૧ એ પ્રમાણે પગલે પગલે પૂજાતી તે મહાન શિલાપાટ, છ દિવસે ઉપર ચઢી રહી. ૧૮૨ પૂર્વે જાવડિએ છ મહિને પિતાનું તથા પિતાની સ્ત્રીનું શરીર ટેકવી ટેકવીને જ્યાં આદિનાથની પ્રતિમાને ચઢાવી હતી, ત્યાં જ સાધુ દેશની એ શિલાપાટ દેવની કૃપાથી માત્ર છ દિવસેજ પહોંચી ગઈ ૧૮૩–૧૮૫ બિંબનું ઘડવું તે પછી ઉત્તમ કારીગરોએ દેવમંદિરના તોરણદારના આગળના ભાગમાં તે શિલાપાને ઘડવી શરૂ કરી. ૧૮૬ તે વખતે ટાંકણુના આઘાતથી બિંબમાંથી જે શબ્દ નીકળતું હતું તે પાપરૂપી હાથીને સિંહની ગર્જના જેવો ભયંકર જણાતો હતો અને શિલાપાટમાંથી ટાંકણાના આઘાતથી ઉજજવળ રજકણે નીકળતા હતા તેઓ પુણ્યરૂપી દૂધના સ્વચ્છ ફીશુ હોય તેવા જણાતા હતા. ૧૮૭–૧૮૯તેમજ ટાંકણુના આઘાતથી ઉડતી વત રજ દેશના યશરૂપી કપૂરના ચૂર્ણની પઠે ચારે દિશાઓમાં ઉછળતી હતી. ૧૮૯ બાળચંદ્ર મુનિ, જે સર્વ વિદ્યા ( ૧૮૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy