________________
પ્રસ્તાવ ૪
તીર્થોદ્ધાર માટે સંઘની અનુમતિ
अथान्यदा मुदा युक्तः समस्तान् वरिपुंगवान् ।
उपासकान् संघमुख्यानपि साधुरमीलयत् ॥ १ ॥ હવે એક દિવસે સમરસિંહે મોટા મોટા સમગ્ર આચાર્યોને તથા સંધના મુખ્ય મુખ્ય શ્રાવકોને એક સ્થળે એકઠા કર્યા. અને શ્રીમાન અરિષ્ટનેમિ ભગવાનના મંદિરમાં તે સમગ્ર સંધને ભક્તિપૂર્વક યથાયેગ્ય રીતે બેસાડ્યો. જે પછી તેઓને પ્રણામ કરી, બે હાથ જોડી સમરસિંહે કહ્યું કે, આ સમગ્ર સંધ મારી એક વિનતિને લક્ષ્યમાં લેશે એમ હું ઇચ્છું છું. તમે જાણો છો કે કલિકાળની પ્રબળતાને લીધે સ્વેચ્છાએ શ્રી શત્રુંજય તીર્થનાયકને હાલમાં નાશ કર્યો છે.
( ૧૬૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org