________________
પાત્રદાન વિષે શંખરાજ કથા.
? એ પ્રમાણે થઈ રહ્યો. કેમ
લીન ઉઠ્ય પામે
ત્યારથી આરંભીને રાજાની આગળ કહી સંભળાવ્યું.૭૪૯ પછી નત્તમ રાજાએ સર્વ લેકની સંમતિ લઈને પોતાની મેળે પ્રાપ્ત થયેલાં બે રાજ્ય ઉપરાંત પિતાના રાજ્યનો પણ સ્વામી બનાવ્યા. ૭૫૦ અને પોતે રાજ્યને સર્વ ભાર તેના પર મૂકી દઈ નિશ્ચિત થયો તથા ચારિત્ર લેવા માટે તત્પર થઈ રહ્યો. કેમકે વૃદ્ધાવસ્થામાં એ જ યોગ્ય ગણાય.૭૫૧ એ પ્રમાણે શાંત થયેલે તે રાજા અને નવીન ઉદય પામેલે પ્રતાપી શંખકુમાર બને જણું, કૃષ્ણપક્ષની પડવાના દિવસના ચંદ્ર-સૂર્યની પેઠે શોભવા લાગ્યા ઉપર અને લેકેનું પાલન કરતા હતા, તેવામાં એક દિવસે ઉદ્યાનપાળે આવીને રાજાને જણાવ્યું કે, હે દેવ ! આજે ઉદ્યાનમાં સર્વના સમગ્ર સંશાને દૂર કરનારા શુભંકર નામના કેવલી પધાર્યા છે; માટે હે રાજા ! તમે તમારી દષ્ટિને કૃતાર્થ કરે.૫૩-૫૪ આ વૃત્તાંત સાંભળીને નોત્તમ રાજા, રેગી જેમ પિતાને ઈચ્છિત ઔષધ સાંભળીને પ્રસન્ન થાય અને વૈદ્યને ઈનામ આપે તેમ, પ્રસન્ન થયે તથા ઉદ્યાનપાળને તેણે ઈનામ આપ્યું.૫૫ પછી શંખરાજાને તથા અંતઃપુર આદિ પરિવારને સાથે લઈ નરોત્તમ રાજા, મુનિને વંદન કરવા માટે નીકળ્યો.૭પ૬ અને તેઓ બન્ને રાજા, કેવલિને જોઈને હાથી ઉપરથી ઉતરી પડી, રાજ્યનાં ચિહેને ત્યાગ કરી, પાંચ પ્રકારના અભિગમપૂર્વક પાંચ અંગોથી પૃથ્વીને સ્પર્શ કરી મુનિને તેઓએ વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભને આશીર્વાદ આપી તેઓ બન્નેને અભિનંદન આપ્યું.૭૫૭–૭૫૮ પછી તેઓ બંને રાજા, વિનયાધીન થઈ કેવલી આગળ બેઠા એટલે કેવલીએ પણ બોધ આપવા માટે દેશનાને આરંભ કર્યો.૫૯ “હે ભવ્યજીવો! આ સંસારરૂ૫ સમુદ્ર સર્વ પ્રાણીઓને ખરેખર દુસ્તર થઈ પડે છે; કેમકે તે સમુદ્રમાં જન્મ, મૃત્યુ તથા જરારૂપ ચંચળ તરંગે ઉપરાઉપરી ઉછળી રહ્યા છે,
( ૧૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org