________________
પ્રસ્તાવ ૨.
મનવાળાં તે ત્રણેની રાત્રિ તથા દિવસ એક ક્ષણની પેઠે સુખેથી પસાર થયો.૬૦ ° તેવામાં રાક્ષસ ત્યાં આવી પહોંચે, તેણે શંખને કહ્યું કે રે રે નરાધમ ! મરવાની ઈચ્છાથીજ તું અહીં આવ્યું છે, માટે તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. ૦૧ રાક્ષસનાં એ વચનનો શંખકુમાર ઉત્તર આપતો હતો તેટલામાં તે આકાશમાંથી આવીને દેવીએ તે રાક્ષસને મજબૂત જકડી બાંધ્યો અને પૃથ્વી પર ફેંકી દીધો, ૦૨ તે જોઈ શખે કહ્યું, “હે દેવિ ! તમે આ શું કર્યું ? મારા હાથની ખરજ તે હજી તેવી ને તેવી જ રહી ગઈ.”૬૦૩ ત્યારે દેવી બોલી “તારા ભાગ્યના પ્રભાવથી જ હું આ કરી શકી છું, જે એમ ન હોય તો રાક્ષસને શિક્ષા કરવામાં મારી શક્તિજ કયાંથી હોય ?૬૦૪ પછી પેલો રાક્ષસ બૂમો પાડવા લાગ્યો કે, હે નાથ ! હે દયાળુ ! તમે મને છોડાવો, ફરી કદી પણ આવું દુષ્ટ કર્મ હું નહિ કરું.૦૫ તે સાંભળી શખે કહ્યું કે, હે રાક્ષસ! હું તને તોજ છૂટો કરું, કે જે, તું મારી સામે યુદ્ધ કરે, કેમકે મને યુદ્ધ કરવાની ઉત્કટ ઈચ્છા છે અને મહાન પુરુષો રણસંગ્રામમાં આવું છળ કદી કરતા નથી. જે તે વેળા પેલા રાક્ષસે કહ્યું કે, હે દેવ ! હું તમારી દષ્ટિએ પડ્યો હતો તે જ સમયે ગતપ્રાણુ જેવો થઈ ગયો હતો અને તેથી જ દેવીએ મને બાંધે છે, નહિ તો આ દેવી મારી સામે શા હિસાબમાં છે ?૬૦૭ માટે હવે યુદ્ધ કરવાનું મારાથી બની શકે તેમ નથી. અરે એ કુમાર ! મારા પ્રાણુ નિકળી જાય છે, માટે તમે મને છોડાવે, આ વખતે જ્યારે એની દાઢી સળગી રહી છે ત્યારે બીજો જેમ દીવો કરવાની ઈચ્છા કરે તેવું તમે કરે છે. (અર્થાત આ બંધનથી મારા પ્રાણ ચાલ્યા જાય છે ત્યારે તમે યુદ્ધની માગણી કરે છે. )૧૮ તે રાક્ષસે એમ કહ્યું એટલે શંખકુમારે તેને બંધનથી છોડાવ્યો. કેમકે સત્પષ શાંત
( ૧૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org