________________
પાત્રદાન વિષે શંખરાજ કથા.
રાજકુમારીનું હરણ કરી જાય છે.”૫૩૭ તે વેળા રાજાએ પૂછ્યું કે, રાજકુમારી પિતાની ઈચ્છાથી જ જાય છે અથવા જાણે છળથી હરણ કરાઈ હોય તેવી પિતે ક્રિયા કરી રહી છે? પ૩૮ ત્યારે દાસીઓ બોલી, “તેની ચેષ્ટાઓ ઉપરથી જણાય છે કે, તે જાણે હર્ષથી જતી હેય.” આ પ્રમાણે દાસીઓના જણાવ્યા પછી રાજએ સ્પષ્ટ રીતે કહ્યું-૫૩૯ “કુમારી પ્રથમ પુરુષને દેષ કરનારી હતી, છતાં આ સમયે પિતાની મેળે જ કઈ પતિ પાસે જે જતી હોય તે ખરેખર, આ તો આપણી ઈચ્છા હોઈને પોતાની મેળે જ ગુમડું ફૂટયું એમ મનાય.૫૪૦ માટે હવે તે જ પુરુષને અહીં બોલાવીને મારી પુત્રીનાં તેની સાથે લગ્ન કરી આપું. કેમકે અતિથિ, હસવાથી કે રડવાથી પણ જે જતો જ ન હોય તો પછી હસીને જ તેનો સ્વીકાર કરવો તે વધારે સારૂ છે. ૫૪૧ આવો વિચાર કરી રાજા, એક વેગવાળા ઘોડા ઉપર બેસીને સત્વર ત્યાં ગયો કે જ્યાં શંખકુમાર નગરની બહાર રહ્યા હતા.૫૪૨ શંખ પણ રાજાને શાંતસ્વરૂપે આવેલો જોઈને હર્ષથી તેની સામે ગયો અને તેને પ્રણામ કર્યા, પુરુષો પોતાના સદાચારથી કદી ભ્રષ્ટ થતા નથી. ૪૩ પછી રાજાએ પોતાના જમાઇને જોઈને મનમાં વિચાર કર્યો કે, મારી પુત્રીને આવો પતિ મળ્યો તેથી ખરેખર ખીરમાં સાકર પડ્યા જેવું જ થયું છે.૫૪૪ વળી મને પિતાને ધન્ય છે, કે જેને આવો જમાઈ મળ્યો! ધન્ય છે આ મારી પુત્રીને કે જેને આવો પતિ મળ્યો અને આ બન્નેને આ રીતે જે સમાગમ કે, તે પણ ધન્યવાદપાત્ર જ છે. પ૪પ તે પછી રાજાએ આનંદપૂર્વક શખકુમારને તેના મિત્રોની સાથે નગરમાં આર્યો અને શુભ દિવસે મોટા ઉત્સવપૂર્વક તે બન્નેનાં તેણે લગ્ન કરી આપ્યાં. ૫૪ તેમજ હસ્તમોચન સમયે પુષ્કળ હાથી, ઘોડા, સુવર્ણ વગેરેની ભેટ કરીને રાજાએ પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org