________________
પ્રસ્તાવ ૨.
૪૯૧ માટે હે ભદ્રે !: પુરુષોને ઠેષ કરવાના આગ્રહરૂપ આ તારા દેશને તું ત્યાગ કર. મનુષ્ય સંબંધી દુર્લભ જન્મ પ્રાપ્ત કરીને તેને વૃથા કેમ ગુમાવે છે ?” ૪૯૨ પિપટનાં તે વચન સાંભળ્યા પછી કુમારી બેલી – “હે પિટ ! તે મને જે કહ્યું તે યોગ્ય છે, પણ પુરુષોનું નિગુણપણું મેં પ્રત્યક્ષ જોયું છે, સાંભળ. ૪૯૩ પૂર્વ જન્મમાં નંદા નામની હું એક બ્રાહ્મણી હતી. મારો જન્મ શુદ્ધ કુળમાં થયો હતો અને સડ નામને બ્રાહ્મણ મારો પતિ હતો. અમે નંદિગ્રામમાં રહેતાં હતાં. ૪૯૬ હું મારા પતિના જમ્યા પછી જમતી હતી. સૂતા પછી સૂતી હતી અને બેઠા પછી બેસતી હતી. જેમાં શરીરની છાયા શરીરને અનુસરે છે તેમ, હું પણ સર્વ વિષયમાં મારા પતિને અનુસરી રહેતી હતી. ૪૫ એક સમયે લોકેાના અભાગ્યને લીધે એ દેશમાં દુષ્કાળ પડવો, જેથી સર્વ લેકે માતા પુત્ર આદિથી રહિત થઈને દુઃખી થઈ પડ્યા. ૪૯ તે પછી સુધાથી વ્યાકુળ થઈને કઈ કાઈ લોકો ત્યાંથી વિદેશ તરફ નીકળી ગયા, ત્યારે મારે પતિ પણ મને છોડીને બીજા કે દેશમાં જવા તૈયાર થયો. ૪૭ એ વખતે મેં તેને કહ્યું કે, “હે પ્રિય ! મને અહીં મૂકીને તમારે અહીંથી જવું તે યોગ્ય નથી. સર્ષ વિના બીજો કયો પુરુષ પોતાની પ્રિય કાંચળીનો ત્યાગ કરે ?” ૪૯૮ ઈત્યાદિ યુક્તિવાળાં સુવાકયથી મેં જ્યારે ખૂબ કહ્યું, ત્યારે મારા પતિની ઇચ્છા ન હોવા છતાં પણ હું તેમની પાછળ પાછળ નીકળી શકી. કેમકે સંધ્યા સૂર્યની પાછળ કેમ ન જાય?૪૯ એક સમયે જંગલમાં અમે મુસાફરી કરી રહ્યાં હતાં તે વખતે રાત્રિના સમયે હું નિદ્રાવસ્થામાં પડી હતી ત્યારે મને ત્યાં એકલી મૂકીને મારે પતિ કયાંક ચાલ્યો ગયો. ૫૦° પછી હું જાગી અને મેં મારા પતિને જ્યારે કયાંય ન જે ત્યારે ભાંગી ગયેલી લતાની પેઠે એકાએક મૂચ્છિત થઈને હું પૃથ્વી પર ઢળી પડી; ૫૦૧ અને મૂચ્છ ઉતરી
(૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org