SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 'પાઠ-૧૫ : દિવાળી અને દારૂખાનું દિવાળી એટલે અજ્ઞાની જીવો માટે દારૂખાનું ફોડીને અનંત પાપના પોટલાઓ ભેગાં કરવાની સિઝન દારૂખાનું ફોડવું તે મળેલા માનવ જીવનની દિવાળી કરવા બરાબર છે. કર્મગ્રથની દૃષ્ટિએ વિચારતાં દારૂખાનું ફોડવાથી જે જે પાપકર્મો બંધાય અને તે પાપકર્મો ઉદયમાં આવે ત્યારે જે દુઃખો પડે, તે અતિ ભયાનક છે, પરંતુ કર્મગ્રન્થ નહીં ભણેલ હોવાથી આજે અનેક જૈનો પણ દારૂખાનું ફોડવાનું તથા વેચવાનું આ ઘાતકી પાપ કરે છે. દારૂખાનું ફોડતાં કાગળ બળતાં હોવાથી તીવ્ર જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જે બુદ્ધિ વિનાના, ગાંડા તરીકેના તેમજ બહેરા, બોબડા, આંધળા વગેરે તરીકેના ભવો અપાવે છે. વળી ઘણાં ટેટાઓ ઉપર લક્ષ્મીદેવીના ફોટાઓ આવે છે. લક્ષ્મીદેવીનો ફોટો બળવાથી કે તેના ચૂરેચૂરા થવાથી લક્ષ્મીદેવીનું ભયંકર અપમાન થાય છે. આ અપમાન કદાચ આ ભવમાં જ નિર્ધનતાની બક્ષિસ અપાવે, તો જરાય નવાઈ પામવા જેવું નથી. દારૂખાનું ફોડનાર શ્રીમંતોએ કે તેમના સંતાનોએ ભવિષ્યનારોડપતિ કે ભિખારી તરીકે જીવન જીવવાની પૂરી તૈયારી રાખવી જ ઘટે. કેમકે આવા તીવ્ર પાપોના પરચા આ જ ભવમાં મળી જતાં હોય છે. અક્ષરો અને કાગળ બળવાથી સરસ્વતી-દેવીનું પણ અપમાન થાય છે. તેનાથી આ જ ભવમાં બુદ્ધિ ચાલી જાય કે મગજનાં કોઈ રોગો પેદા થાય તેવું પણ બની શકે. ફટાકડા વગેરે ફૂટતાં જ કબૂતરા વગેરે પક્ષીઓ ભયથી ફફડી ઉઠે છે. તેઓ અડધો-અડધો કલાક સુધી ભયના માર્યા ધ્રુજ્યા કરે છે. બિચારા નિર્દોષ પક્ષીઓને ગભરાવી મારવાનું આકેવું ભયંકર પાપ! ઘણીવાર માળામાં બેઠેલા પક્ષીઓ ગભરાટથી પાંખ ફફડાવે છે. તે પાંખ ઈડાઓને અડી જતાં ઈડાઓ નીચે પડીને ફૂટી જાય છે. કેટલીવાર ગભરાટથી પક્ષીઓ ઉડે છે. પછી રાત્રે ન દેખાવાથી નીચે પડી જાય છે અને બિલાડી વગેરે તેમને ખાઈ જાય છે. ૨-૪ વર્ષના નાના બાળકો ગભરાઈ જાય છે, તેથી તેમનું હૃદય નબળું પડી જાય છે. ધડાકા-ભડાકાના અવાજથી નાના-મોટા સૌના કાનના પડદાઓને નુકશાન થાય છે. દારૂખાનું ફૂટતાં નીચે રહેલ કડી વગેરે જીવો દાઝવાથી બળી જાય છે. અને આકાશમાં રહેલાં ઝીણા-ઝીણા સેંકડો જીવો ગુંગળાઈને મરી જાય છે. અગ્નિકાય, વાયુકાય વગેરે એકેન્દ્રિય જીવોની પણ હિંસા થાય છે. આમ, દારૂખાનુ એટલે રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy