SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સૂકાઈ જાય તે રીતે ઉપયોગ રાખવો જોઈએ. કુવા, નદી, તળાવ વગેરેના કિનારે બેસીને કપડાં ન ધોવાં, સ્નાન કરવું. ૬.) ખાનનું પાણી, એંઠું પાણી, પગ વગેરે ધોયેલ પાણી ચોકના એક સ્થાને પડવું ન રહે તેનો ઉપયોગ રાખવો. જો બે ઘડીમાં બધું પાણી ન સૂકાય તો સંમૂર્છાિમ મનુષ્યોની ઉત્પત્તિનો સંભવ છે. ઘણીવાર પત્થરના નાના-નાના ખાડા-ખાંચામાં પાણી રહી જાય છે. તો તે ન રહી જાય તેની કાળજી લેવી જોઈએ. ૭.) ઘડા વગેરેમાંથી પાણી પીધાં બાદ એંઠા ગ્લાસને ઘડા વગેરેમાં ફરી ન નાખવો. કેમ કે તેમ થતાં ઘડાનું બધું જ પાણી એઠું થઈ જાય. પછી તે ઘડાના પાણીમાં બે ઘડી બાદ અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યોની ઉત્પત્તિનો સંભવ છે. પાણી પીધા બાદ એંઠા ગ્લાસને વસ્ત્રાદિથી લૂંછી લેવો જોઈએ. ઘડામાંથી પાણી લેવા અન્ય સાધન રાખવું જોઈએ. ૮.) મેલું વસ્ત્ર કે પસીનો વગેરે જે પાણીમાં પડી જાય તે પાણીનો સૂકાઈ જાય તે રીતે બે ઘડીમાં નિકાલ કરી દેવો જોઈએ. ૯) રસ્તામાં ઢોળાયેલ પાણી ઉપર ચાલવું નહિ, કેમકે તેથી પાણીના જીવોની હિંસા થાય તેમ જ પાણીમાં પગનો મેલ ઉતરવાથી તેમાં બે ઘડી બાદ સંમૂર્છાિમ મનુષ્યની વિરાધનાની પરંપરા શરૂ થઈ જાય. ૧૦.) જમ્યા બાદ ભોજન-પાણી એંઠા મૂકવા નહિ. કેમ કે બે ઘડી બાદ સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થવા સંભવ છે. માટે જમ્યા બાદ થાળી આદિ ધોઈને પીધા બાદ થાળી આદિવાસણો બે ઘડી પહેલાં સૂકાઈ જાય તેમ કરવું ઉચિત છે. કેટલાક સમજુ શ્રાવકો થાળી આદિ રૂમાલથી લૂછીને કોરી કરી નાખતાં હોય છે. જે ઘરોમાં એંઠા વાસણો પડ્યાં રહે છે, ત્યાં ૪૮ મિનિટ બાદ વાસણ માંજનારા બહેનો દ્વારા અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યોની હત્યાનું પણ પાપ લાગે છે. ખરી જીવદયા આવી ઝીણી-ઝીણી કાળજી કરવામાં છે. આવી કાળજીને શાસ્ત્રોમાં “જયણા' કહી છે અને જયણાને ધર્મની માતા કહી છે. અલબત્ત જયણા વિનાનો ધર્મ સાચો ધર્મ નથી. ૧૧.) જમતાં જમીન ઉપર એંઠવાડો ન પડે તેની કાળજી રાખવી. જો તબિયતાદિ કારણે ભોજન એંઠું મૂકવું પડે તો તુરત કુતરાદિની અનુકંપા કરીને સંમૂર્છાિમ મનુષ્યની વિરાધનામાંથી બચવું ઉચિત છે. વળી જમ્યા બાદ એંઠા થાળી વગેરે કોઈ કુંડમાં રાખેલ પાણીમાં નાખીને ન ધોવા. ઘણે સ્થળે એવી પ્રથા જોવા મળે છે કે કુંડમાં પાણી રાખેલ હોય, તેમાં જમનારા થાળી વગેરે ધોઈ નાખે. આથી તો કુંડના પાણીમાં અસંખ્ય રસોડાનું તત્ત્વજ્ઞાન - ૭૮ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy