SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે વાયુકાય છે. વાયુકાય આંખેથી દેખાતો નથી. પરંતુ શરીરને સ્પર્શ થવાથી તથા ઊડતી ધજા વગેરેના અનુમાનથી જાણી શકાય છે. વનસ્પતિકાય : ઘાસ, બીજ, મૂળ, થડ, શાખા, પાંદડા, ફળ, ફૂલ, વેલડી, વૃક્ષ, અનાજ, સેવાલ, બિલાડીના ટોપ, કંદમૂળ, લીલ વગેરે વનસ્પતિકાય છે. આમાં સેવાલ, બિલાડીનો ટોપ, કંદમૂળ, લીલ વગેરેમાં તો અનંતા-અનંતા જીવો હોય છે. તે પહેલા પ્રકરણમાં પાઠ-પમાં જણાવી દીધેલ છે. ત્રસકાય : શંખનો જીવ, કીડી, મંકોડા, કૃમિ, અળસીયા, જૂ, લીખ, માંકડ, મચ્છર, વાંદા, મધમાખી, ઈયળ, વીંછી, પતંગિયું, ઉંદર, ખિસકોલી, માછલી, પક્ષી, પક્ષીના ઈડા, કાચબો, સાપ, વાંદરો, ગાય, ભેંસ, માણસ, દેવ, નારક વગેરે બધા ત્રસકાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ સ્થાવર કહેવાય છે. તેઓ પોતાની મરજી મુજબ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકતા નથી. બાકીના બધા જીવો ત્રસકાય છે. તેઓ પોતાની મરજી મુજબ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. કેવી ભયાનક વિરાધના? વર્તમાનકાળમાં શ્રાવકોના જીવનમાંથી જયણા લગભગ ખલાસ થવા લાગી છે. જીવદયામાં માનનારા શ્રાવકો પણ પૃથ્વી, પાણી વગેરેનો બેફામ ઉપયોગ કરીને કેવી ઘોર હિંસાનું પાપકર્મ બાંધતા હોય છે, તેનું જ્ઞાન તેમને હોતું નથી. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના નાનામાં નાના ભાગમાં પણ તેના અસંખ્ય શરીરો અને અસંખ્ય જીવો હોય છે. સંબોધસિત્તરીના કેટલાક શ્લોકો જોઈએ: अद्दामलयपमाणे, पुढवीकाये हवंति जे जीवा । ते पारेवय-मित्ता, जंबूढ़ीवे न मायंति ।।९४।। લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયના સમુહમાં જે જીવો ય છે, તે દરેક જીવોને જો પારેવા (કબૂતર) જેવડા કરવામાં આવે, તો (૧ લાખ યોજન લાંબાપહોળા) આખા જંબૂદ્વીપમાં પણ તે ન સમાય. અલબત્ત તેટલા બધા પૃથ્વીકાયના જીવો હોય છે. अगंमि उदगबिंदुंमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जइ सरिसव-मित्ता, जंबूदीवे न मायंति ।।१५।। For Private & Personal Use On Paislai nerealiek forg Jain Education International
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy