SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ-૯ : ષકાયની જીવદયા પાળો મુસ્લિમો માત્ર મુસ્લિમોની રક્ષામાં ધર્મ માને છે; ઈસાઈઓ માત્ર માનવસેવામાં માને છે, વૈદક વગેરે ધર્મ વાળા હિન્દુઓ માનવ ઉપરાંત ગાય વગેરેની પણ રક્ષામાં માને છે, જ્યારે જૈનધર્મ જગતના સર્વ પ્રકારના જીવોની જીવદયા કરવાની વાત કરે છે. વીતરાગ, સર્વજ્ઞ, ત્રિલોકગુરુ તીર્થકર ભગવંતોએ જગતના સર્વ જીવોનું છ વિભાગમાં વિભાગીકરણ કરેલ છે. આ છ એ પ્રકારના જીવોની જીવદયા પાળી શકાય તેવો સાધુધર્મ પણ તીર્થકર ભગવંતોએ બતાવ્યો છે. જીવોના છ પ્રકારઃ (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય(૪) વાઉકાય (૫) વનસ્પતિકાય (૬) ત્રસકાય - આ છ પ્રકારના જીવો ષટુકાય કહેવાય છે. * જે જીવોનું શરીર પૃથ્વીરૂપે હોય તે પૃથ્વીકાય કહેવાય. * જે જીવોનું શરીર પાણીરૂપે હોય તે અપકાય કહેવાય. * જે જીવોનું શરીર અગ્નિરૂપે હોય તે તેઉકાય કહેવાય. * જે જીવોનું શરીર વાયરૂપે હોય તે વાયુકાય કહેવાય. * જે જીવોનું શરીર વનસ્પતિરૂપે હોય તે વનસ્પતિકાય કહેવાય. * જે જીવોનું શરીર ત્રસરૂપે હોય તે ત્રસકાય કહેવાય. પૃથ્વીકાય: સ્ફટિક, મણિ, રત્ન, હીરો, પરપાળા, પારો, અબરખ, તેજંતુરી તથા સોનું, રૂપુ, તાંબુ, કલાઈ, સીસુ, જસત, લોખંડ વગેરે ધાતુઓ તથા સાજીખાર, નવસાર, ધોવાનો પાપડીયો ખાર, જવખાર વગેરે ખારો તથા જુદા જુદા પ્રકારની માટી, જુદા જુદા પ્રકારના પત્થરો, મીઠું વગેરે પૃથ્વીકાય છે. અપકાય: પાણી, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, ધુમ્મસ વગેરે અપકાય છે. તેઉકાય: અગ્નિ, અંગારા, ભડકો, તણખા, આકાશમાં અગ્નિના લાંબા પટ્ટા દેખાય છે તે, આકાશમાંથી તણખા ઝરે છે તે, આકાશમાં ખરતા તારા જેવા દેખાય છે તે, વિજળી, દીવા-લાઈટ વગેરેનો પ્રકાશ વગેરે તેઉકાય છે. વાઉકાય: પવન, વંટોળીયો, પંખામાંથી ઉત્પન્ન થતો વાયુ, મુખમાંથી નીકળતો વાયુ રસોડાનું તત્ત્વજ્ઞાન - ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy