SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં પણ બે ઘડી પછી અચિત્ત થતા નથી. કેમકે તેમાં કટાહનો જીવ પ્રથમની માફક રહે છે. તેથી તે ફળો એકાસણા વગેરેમાં અને સચિત્તના ત્યાગીને કલ્પે નહીં. કાકડીનું શાક બરાબર સીઝવવામાં આવે તો તે અચિત્ત બને છે. જામફળના બી ચૂલે ગળતા ન હોવાથી તેના બી કાઢીને બનાવેલું જામફળનું શાક અચિત્ત બને છે. બી સહિત શાક હોય તો અચિત્ત ગણાય નહીં. તે રીતે ગોટલો જુદો કર્યા પછી કાચી કેરીને અગ્નિનું શસ્ત્ર આપવામાં આવે તો અચિત્ત બને છે. પાકા ફળો તો બીજ રહિત કર્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય છે. સાકરનું અને રાખનું પાણી બે ઘડી બાદ અચિત્ત બને છે. અને બે ઘડી સમય પછી પાછું સચિત્ત બને છે. ત્રિફલા ચૂર્ણનું પાણી બે ઘડી બાદ અચિત્ત બને છે. અને તે પછી બે ઘડી સુધી જ અચિત્ત રહે છે. તે પછી ચિત્ત બને છે. બરાબર ત્રણ ઉકાળા કરેલ પાણી શિયાળામાં ચાર પ્રહર સુધી, ઉનાળામાં પાંચ પ્રહર સુધી અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે છે, તે પછી સચિત્ત બને છે. જો તે પહેલા ચૂનો ભેળવી દેવામાં આવે તો તે પાણી બીજા ૭૨ કલાક સુધી અચિત્ત રહે છે. કાચુ મીઠું નવા માટલામાં ભરી તેની ઉપર માટીની ઢાંકણી મૂકી, તેને કાચી ચીકણી માટીથી પેક કરી કુંભારના ઈંટના નિભાડાની વચમાં પકવવામાં આવ્યું હોય કે સખત ભઠ્ઠીમાં પકવવામાં આવ્યું હોય તો તે ૨-૪ વર્ષ કે તેથી પણ વધારે વખત અચિત્ત રહે છે. તાવડી ઉપર બરાબર રીતે શેકેલું કે ચૂલે પાણીમાં ઓગાળીને ચાસણી કરીને પકાવેલું મીઠું ચોમાસામાં ૭ દિવસ, શિયાળામાં ૧૫ દિવસ અને ઉનાળામાં ૩૦ દિવસ સુધી અચિત્ત રહે છે, પછી સચિત્ત થઈ જાય છે. તથા સંચળ અચિત્ત મનાય છે. સિંધાલુણ (સિંધવ) લાલ છાંટવાળું સચિત્ત અને સ્ફટિક જેવું-ખડી સાકર જેવું એકદમ સફેદ હોય છે તે અચિત્ત મનાય છે. વીંધેલા મીંઢળનો અંતર્મુહૂર્ત પછી (બે ઘડી પછી) વૃદ્ધપુરુષો અચિત્તપણે વ્યવહાર કરે છે. (સેનપ્રશ્ન ગ્રન્થમાંથી) લીલા ચણા, મકાઈ, ઘઉં, મગફળી, પાપડી, બાજરી વગેરેનો પોંખ શેકેલો હોય તે મિશ્ર છે એટલે કે તેમાં સચિત્તપણું હોય છે, માટે સચિત્તના ત્યાગી કે એકાસણાબેસણા કરનારે વપરાય નહીં. લીલા ચણા, મકાઈ, ઘઉં વગેરે બાફેલા હોય તો તે અચિત્ત છે. લવિંગ, સૂકા મરી અચિત્ત છે. અજમો સચિત્ત છે. ગુલાબજળ સચિત્ત હોય છે. Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન ૫૦ www.jainelibrary.org -
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy