SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે. મહુડા, બોર, કોઠા, સીતાફળ, પીલુ, ગુંદા, જાંબુ, સરગવાની સીંગ તેમજ અત્યંત કુણી (મગ-ચોળા-ગુવાર-વાલ-શમી વગેરેની) સીંગ તુચ્છફળમાં ગણાય છે. ૨૦. વૃત્તાક : વૃંત્તાક એટલે રીંગણા. તેમાં બીજ ઘણા હોય છે. અને તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસજીવો હોય છે. વળી, તે તામસી અને વિકારો પેદા કરનારા છે. રીંગણાથી કફ અને પિત્ત વધે છે. અવારનવાર તાવ અને ક્ષય જેવા દર્દો ઊભા થાય છે. પુરાણ શાસ્ત્રોમાં પણ રીંગણાનો અને મૂળાનો નિષેધ કરેલો છે. ૨૧. અજાણ્યા ફળ : જે ફળ, ફૂલ, પત્ર વગેરેની જાતિ કે નામ વગેરે જાણતાં ન હોઈએ તે અજાણ્યા ફળ ગણાય. તે ખવાય નહીં, કેમકે તે ભક્ષ્ય છે કે અભક્ષ્ય વગેરે આપણે જાણતા નથી. વંકચૂલ નામના ચોરે અજાણ્યા ફળ ન ખાવાની પ્રતિજ્ઞા લીધેલ, તેનાથી તે એકવાર મૃત્યુથી બચી ગયેલ. ૨૨. ચલિતરસ : આ માટે જુઓ પાઠ - ૪. : -: સ્વાધ્યાય - ચીજો બતાવી છે, જે નાનામથી ઓળખાય પ્ર-૧ : નીચેની ખાલીજગ્યા પૂરો. (૧) સર્વજ્ઞ ભગવંતોએ ન ખાવા જેવી...... છે.(૨) ના દૈત્યે માનવજાતને પશુથી પણ ભૂંડી બનાવી છે. (૩) છાશથી છૂટું પડતાં માખણમાં ..... જીવો ઉત્પન્ન થઈ જાય છે. (૪) આધુનિક વૈજ્ઞાનિક ........ એ સૂક્ષ્મદર્શક યંત્રમાં પાણીનાં એક ટીપામાં હાલતાં-ચાલતાં જીવો જોયા. (૫) ગાળ્યા વિનાનું પાણી વાપરવામાં આવે તો...... જેટલું પાપ.. માંકહેવાયુંછે. (૬) બહુબીજ છે, પરંતુ બહુબીજ નથી. (૭) ચોર. . ની પ્રતિજ્ઞાથી એકવાર મોતથી બચી ગયો. ...... ...... ..... Jain Education International પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) કેવી ચીજો ન વાપરવી જોઈએ? (૨) દારૂ કેવી રીતે બનાવાય છે ? (૩) મધ શા માટે ન ખવાય? (૪) પાર્ટીમાં બર્નાડ શો શું બોલ્યો ? (૫) માખણ ક્યારે અભક્ષ્ય બને? (૬) વડ વગેરેના ટેટા શા માટે ન ખવાય ? (૭) પાણીના એક ટીપામાં પાણીના કેટલા જીવો હોય, તે સરસવના દૃષ્ટાંતથી સમજાવો. (૮) આજે ધર્મસ્થાનોમાં ક્યાંક ક્યાંક કેરીના રસ વગેરેમાં બરફ નાખવામાં આવે છે, તો એ કેરીનો રસ શ્રાવકોથી ખવાય કે નહીં? શા માટે ? (૯) બરફની જેમ બીજી કઈ કઈ ચીજો શા માટે અભક્ષ્ય છે ? (૧૦) બરફ શા માટે અભક્ષ્ય છે? (૧૧) બહુબીજ કોને કહેવાય ? દૃષ્ટાંતો આપો. (૧૨) તુચ્છ ફળકોને કહેવાય ? દૃષ્ટાંતો આપો. (૧૩) રીંગણાં શા માટે ન ખવાય ? (૧૪) અજાણ્યા ફળ શા માટે ન ખવાય? ...... For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન – ૪૧ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy