SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. આલ્કોહોલના કારણે નપુંસકતા આવી જાય છે. લીવર, પેટ, આંતરડાં, અન્નનળી અને સ્તનના કેન્સર થાય છે. આંખની રેટીના જીવ-કોશીકાઓ મૃત્યુ પામતાં દર્દી આંધળો બને છે. માથાનો દુઃખાવો, વારંવાર ઉલ્ટી, પેટમાં કારમી વેદના, શ્વાસની તકલીફ, ગભરામણ વગેરે પ્રશ્નો પણ ઊભા થાય છે. નસો તણાઈ જતાં મૃત્યુ પણ નીપજે છે. સ્પીરીટ, આલ્કોહોલ, ટીંકચર, આસવ, તાડી અને નીરો એ સર્વેમાં એક યા બીજી રીતે મદિરા જેવું ઉન્માદક નશાવાળું તત્ત્વ હોવાથી તે સર્વે પણ મદિરાની જેમ અભક્ષ્ય જાણવા. ૨. મધ : મધમાખીની વિષ્ટા અને લાળ એટલે મધ. આ પદાર્થ એકદમ ગળ્યો અને ચીકણો હોવાથી તેમાં બીજા સેંકડો કીડાઓ પેદા થઈ જાય છે. મધ પાડતી વખતે મધમાખીઓની હિંસા અને મધ પાડયા પછી તેને ગાળવામાં આવે ત્યારે અંદરના સેંકડો કીડાઓનો સંહાર થાય છે. કીડા, મધમાખીના ઈંડા, લાળ અને વિષ્ટાના સંયોજનથી થતાં મધને કોણ ડાહ્યો માણસ ખાય ? ઔષધના અનુપાનમાં મધની જગ્યાએ પાકી ચાસણી, મુરબ્બાનો રસ કે ઘીસાકર લઈ શકાય છે. ૩. માંસ : ઈંડા, આમલેટ, ચીકન, માછલા વગેરે સર્વ માંસાહારી ખાદ્યખોરાકી ચીજોનો ત્યાગ કરવો જોઈએ. માંસમાં અગણિત ત્રસ જીવોની અને અનંતા નિગોદ જીવોની હિંસા છે. વળી તે શરીર, મન અને આત્મા ત્રણેયને ભ્રષ્ટ કરનાર છે. બર્નાડ શોના માનમાં એક મોટી પાર્ટી ગોઠવવામાં આવેલી. પાર્ટીમાં ખોરાક માંસાહાર હતો. બર્નાડ શોએ કહ્યું, “My stomach is not a graveyard to bury them.” (મારું પેટ મડદાને દાટવા માટે નથી.) ૪. માખણ : માખણ જ્યાં સુધી છાશ સાથે ભળેલું હોય છે ત્યાં સુધી તે અભક્ષ્ય નથી બનતું, પણ તેને જો છાશથી છુટું પાડવામાં આવે તો તેમાં તુરત (લઘુ અંતર્મુહૂર્તમાં) અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે. શ્રાવકોના ઘરમાં વલોણા ચાલતા હતા ત્યારે ઉપયોગવંત શ્રાવિકાઓ ગોળામાંથી ચારેકોરથી માખણ ભેગું કરીને ખોબો ભરીને છાશ સાથે તે માખણને સીધુ તાવડામાં નાખતી, પછી છાશ સાથે જ તે તાવડાને ચૂલે ચઢાવીને તેમાંથી ઘી તાવી લેવામાં આવતું હતું. ૫-૬-૭-૮-૯. વડ, પીપર, ઊંબરડા (ઉંદુંબર), પીપળા (પ્લક્ષ), કાકોદુંબર : આ પાંચના ટેટા વગેરે ફળોમાં મચ્છરના આકારના અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો રસોડાનું તત્ત્વજ્ઞાન ૩૮ www.jainelibrary.org Jain Education International " For Private & Personal Use Only
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy