SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ - ૬ : બાવીશ અભક્ષ્ય છોડો – જેમાં ઘણા ત્રસજીવોની હિંસા થતી હોય અથવા જે શરીર અને મનને બગાડીને આત્માને બગાડનાર હોય તેવી ચીજો વાપરવી ન જોઈએ. ત્રણ લોકના નાથ, મહાસત્યવાદી, સર્વજ્ઞ અને વીતરાગ એવા તારક તીર્થંકર ભગવંતોએ ન ખાવા જેવી ૨૨ ચીજો બતાવી છે. તે ૨૨ અભક્ષ્યના નામથી ઓળખાય છે. આ ૨૨ અભક્ષ્યનું બરાબર જ્ઞાન પ્રાપ્ત કરી તેનો ત્યાગ કરી દેવો યોગ્ય છે. ૧. મદિરા-દારૂ : વ્હીસ્કી, રમ, જીન, બીયર, શેમ્પેઈન, વાઈન, બોરબોન, બ્રાન્ડી, ખજૂરાહો, હેવર્ડસ, લંડન પિલ્સનર, સ્કોચ, ટેકીલા, વોડકા, રોયલ સેલ્યુટ, થોમસ હાર્ડી, કાદંબરી, દારૂ, શરાબ, દ્રાક્ષાસવ, લઠ્ઠો, બેવડો વગેરે જુદા જુદા અનેક નામ ધારણ કરીને દારૂના દૈત્યે માનવજાતને પશુથી પણ ભૂંડી બનાવી છે. દારૂ મહુડાં, દ્રાક્ષ, ગોળ, લોટ વગેરેને ખૂબ સડાવીને બનાવવામાં આવે છે. તેમાં સેંકડો કીડાઓ પેદા થાય છે. કીડાઓને છૂંદીને તેનો રસ નીચોવાય છે. તેમાંથી આલ્કોહોલ તૈયાર થાય છે. દારૂમાં સતત બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને નાશ થતો જ રહે છે. પેટની દિવાલમાં જે સ્કીન છે તે એકદમ મુલાયમ ચામડી છે. ટર્કીશ ટુવાલની જેમ ચારે તરફ સ્કીન પર રેસાઓ ફૂટેલા હોય છે. શરાબ પેટમાં જતાંની સાથે જ પેલા રેસાઓ તુરત જ તેને ચુસવાનું કામ શરૂ કરે છે. એ રેસાઓ દ્વારા ચૂસાયેલો આલ્કોહોલ તુરત જ લોહીમાં ભળી જાય છે. દારૂ પીધા પછી બ્લડ ચેકઅપ કરવામાં આવે તો તેમાંથી અવશ્ય આલ્કોહોલ મળી આવે. લોહીમાં શરાબ ભળી ગયા બાદ જે શરાબ વધે તે નાના આંતરડામાં ઠલવાય છે. ત્યાં પણ રેસાઓ દ્વારા આલ્કોહોલને લોહીમાં ભળવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે. જે આલ્કોહોલ ચામડાના જૂતાં પર નાખવામાં આવે તો જૂતા પણ કોહવાઈ જાય એવો જલદ આલ્કોહોલ પેટમાં-આંતરડામાં ગયા બાદ અને લોહીમાં ભળ્યા બાદ કેટલું નુકશાન કરે ! શરાબ પીવાય છે ત્યારે પેટમાં ઈન્સ્યુલીન ઝરવા માંડે છે. તેથી હોજરીમાં ચાંદા પડે છે અને નર્વસ સિસ્ટમ પર ભયંકર અસર પડે છે. શરાબને કારણે બી.પી., હાઈપર ટેન્શન, એટેક, એનીમીયા વગેરે રોગો ઉત્પન્ન થાય છે. બ્લડમાં રેડ અને વ્હાઈટ સેલનું પ્રમાણ ઘટી જવાથી ભારે રોગોની સંભાવના રહે છે. હોજરીમાં સ્ટેમીના ખલાસ થઈ જવાથી પાચનતંત્ર સદાને માટે ખલાસ થઈ Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન ૩૭ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy