SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ કરી દેવો જોઈએ. અમુક સમય પસાર થયે ગરમી વગેરેના કારણે તે લીલનો કુદરતી રીતે જ પર્યાય (વિનાશ) થઈ જવાનો. એ પર્યાય જલ્દી થાય તો સારું એવો વિચાર કરવામાં પણ અનંત જીવોની માનસિક હિંસાનું પાપ લાગે. માટે તેવા વિચારો પણ ન કરવા. વળી જલદી પર્યાય થઈ જાય, તે માટે તે વસ્તુને તડકા વગેરેમાં પણ ન મૂકવી. જિનશાસનને પામેલ ભવ્યજીવોએ હિંસાનું વ્યવસ્થિત સ્વરૂપ સમજીને હિંસાથી બચવા મહેનત કરવી જોઈએ. ૩. તળાવ, ટાંકી વગેરેના પાણી ઉપર લીલા વર્ણની સેવાલ બાઝી જાય છે, તે અનંતકાય છે. એકના એક માટલા વગેરેમાં જ રોજ પાણી ભરવાથી તેમાં લીલ થવાની સંભાવના છે, માટે ૩-૪ દિવસે માટલા બદલતાં રહેવું અને ખાલી માટલાઓને સંપૂર્ણ સૂકાવા દેવા. ૪. વાસી ખોરાક ઉપર તથા બરાબરન બનેલ મિઠાઈ, ખાખરા વગેરે ઉપર જે સફેદ કલરની ફૂગ બાઝી જાય છે તે અનંતકાય છે. ખાસ કરીને ચોમાસામાં જ્યાં ત્યાં ફૂગનો વધુ સંભવ રહે છે. મિઠાઈ, ખાખરા, પાપડ, વડી, દવાની ગોળીઓ, સાબુ, ચામડાના પાકીટ, પુસ્તકના પુંઠાઓ, અથાણા વગેરે ઉપર ઘણી વખત ફૂગ થઈ જાય છે. ફૂગન થાય તેની પહેલેથી કાળજી કરવી જોઈએ. પાણી કે ભેજ લાગવાના કારણે તથા મિઠાઈ, અથાણા વગેરે બરાબર બનાવ્યાન હોય કે બરાબર રીતે સાચવ્યા ન હોય ત્યારે આવું બને છે. ફૂગ થયા પછી તે ખાવાના પદાર્થો અભક્ષ્ય બને છે, તે ખવાય નહીં અને તેને અડાય પણ નહીં. એની મેળે અમુક ઘણો કાળ પસાર થયા પછી એ ફૂગદૂર થઈ જાય પછી જ ખાવાની ચીજો પરઠવી દેવી પડે અને સાબુ વગેરે ઉપયોગમાં લઈ શકાય. પણ ફૂગ જ ન થાય તેની સંભાળ પહેલેથી રાખવી પડે, નહીં તો ફૂગ થઈ જાય એટલે જ અનંત જીવોની ઘોર હિંસાનું પાપ લલાટે ટીચાય. ભીના હાથે મિઠાઈ પાપડ વગેરેને ન અડવું, અથાણાં વગેરે ખુલ્લાં ન મૂકવા, ત્રણ તારી ચાસણી વગેરે નીતિ-નિયમો બરાબર પાળવા. આગળના પાઠોમાં આ બધી વાતો આવી ગઈ છે. ૫. લીલી સૂંઠ (આદુ), લીલી હળદર અને લીલો કચરો - આ ત્રણે અનંતકાય છે, માટે લીલા હોય ત્યારે ન વપરાય. તેમને આર્દકત્રિક કહેવામાં આવે છે. આ ત્રણેય સૂકવ્યા પછી અચિત્ત અવસ્થામાં વપરાય છે. નોંધ: સૂંઠ વગેરે ઔષધિ રૂપે અને અલ્પ માત્રામાં જ વપરાય છે, તે પેટ ભરવા માટે નથી. જ્યારે બટાટાનું શાક વગેરે પેટ ભરવા માટે, સ્વાદ માટે અને વધુ પ્રમાણમાં Jain Education International For Private & Personal Use Only ત્વજ્ઞાન - ૩૩ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy