SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે, જે આરોગ્ય માટે ઘાતક છે. માટે બજારૂ અથાણાં કદી વાપરવા નહીં. (ii) કંદમૂળ, લીલી હળદર, આદુ, ગરમર, ગાજર, લીલા વાંસ, મલબારના મીઠાના પાણીવાળા લીલા મરી વગેરે પ્રથમથી જ અભક્ષ્ય છે. માટે તેનું અથાણું પણ અભક્ષ્ય જ ગણાય. તે વપરાય નહીં. -: સ્વાધ્યાય :પ્ર-૧ : ટુંકમાં જવાબ લખો. (૧) અથાણાં વગેરે ન જ વાપરવા શ્રેષ્ઠ - શા માટે? (૨) જો અથાણાં વગેરે બનાવવામાં કે વપરાશ વખતે ઝીણવટભરી કાળજી ન રખાય તો શું થાય? (૩) અથાણાંમાં મેથીનો ઉપયોગ શા માટે ન કરવો? (૪) અથાણાં, છુંદા, મુરબ્બા વગેરે સંબંધમાં કીડી વગેરેની વિરાધના ન થાય તે માટે શું કાળજી રાખવી જરૂરી? (૫) બજારૂ અથાણાં વપરાય જ નહીંશા માટે? (૬) કઈ ચીજો અભક્ષ્ય હોવાથી તેના બનાવેલ અથાણાં પણ વપરાય જ નહીં? પ્ર-૨ : મુદ્દાસર જવાબ લખો. (૧) કેવા કેવા અથાણાં વગેરે એક જ દિવસ ચાલે? બીજે દિ' અભક્ષ્ય બને? (૨) કેવા કેવા અથાણાં ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને? (૩) કેવી રીતે તૈયાર કરેલ અથાણાં વરસ સુધી ચાલી શકે? (૪) કેવી રીતે તૈયાર કરેલ છુંદા, મુરબ્બા લાંબા સમય સુધી ચાલી શકે? (૫) અથાણાં, છુંદો, મુરબ્બો વગેરે સંબંધમાં મહત્ત્વની કઈ કઈ કાળજી રાખવી જરૂરી છે? [(i) થી (vii) મુદ્દા] પ્ર-૩ : ખરા ખોટાં લખો. ખોટું સુધારીને લખો. (૧) ત્રણ તડકા આપેલ અથાણું વરસ સુધી ચાલી શકે. (૨) ખટાશ વિનાના અથાણાં ત્રણ દિવસ સુધી ચાલી શકે. (આ રીતે બીજા પણ પૂછી શકાય.) –૪-૪-૪ રસોડાનું તત્ત્વજ્ઞાન - ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy