SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કઠોળના પાંદડાની ભાજી, વાલોળ, ચોળાફળી, તુવેર, ગુવારફળી, મગ, વટાણાની ફળી, લીલા ચણા, કઠોળની સુકવણી, સંભાર, અથાણા, દાળ, કળી, સેવ, ગાંઠીયા, પૂરી, પાપડ, બુંદી, વડી વગેરે પણ દ્વિદળમાં ગણવા. કાચા કે સામાન્ય ગરમ કરેલ દૂધ, દહીં કે છાશ સાથે દ્વિદળનો (કઠોળનો) સંયોગ થતાં જ તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે, માટે તે અભક્ષ્ય બની જાય છે અને પારાવાર હિંસારૂપ બની જાય છે. આ દ્વિદળના દોષથી બચવા માટે ખૂબ જ સંભાળ લેવી પડે. શું શું કાળજી લેશો ? ૧) જમવામાં દાળ, શાક વગેરેમાં કઠોળનો વપરાશ હોય છે, તેથી તેની સાથે કાચા દૂધ, દહીં કે છાશ વાપરવા નહીં. જમ્યા પછી જો છાશ વાપરવી હોય તો પહેલા હાથ, મુખ બરાબર સાફ કરવા, દાંતમાં કઠોળનો અંશ ન રહી જાય તે રીતે દાંત સાફ કરવા, છાશ પીતા નીચે છાંટો પડી જાય તો દ્વિદળનો દોષ ન લાગે તે માટે પહેલેથી થાળી, વાડકી વગેરે સાઈડ ઉપર મૂકવા અને દાળ, શાક વગેરેવાળી નીચેની જમીન બરાબર સાફ કરી સૂકાવા દેવી. વળી ભોજન વખતે જે પાણી વાપર્યું હોય તે (વધેલ) પાણી છાશ સાથે મિક્ષ ન થવું જોઈએ, તેથી તે પાણી પીને ગ્લાસ બરાબર સાફ કરી દેવો પડે. પછી તે ગ્લાસમાં છાશ લેવામાં કે છાશ વાપર્યા પછી પાણી માટે તે ગ્લાસનો ઉપયોગ કરવામાં વાંધો નહીં અથવા ભોજન વખતે જે ગ્લાસ વાપરેલ હોય અને તેમાં જે પાણી હતું તે ગ્લાસ અને પાણીના બદલે બીજો ગ્લાસ અને બીજું પાણી લેવું. ટુંકમાં-ભોજન વખતનું પાણી કે એંઠો ગ્લાસ છાશના વપરાશ વખતે ચાલે નહીં. વળી થાળી-વાડકા વગેરે જે રૂમાલથી સાફ કર્યા હોય કે ભોજન પછી ધોયેલ હાથ જે રૂમાલથી સાફ કર્યો હોય, તે રૂમાલ છાશના ગ્લાસને કે છાશવાળા હાથને સાફ કરવા વપરાય નહીં. છાશનો ગ્લાસ જે રૂમાલથી લૂછયો હોય તે રૂમાલ જુદો ધોવો પડે. ટુંકમાં-કઠોળ, કઠોળની બનાવટ, કઠોળવાળા વાસણો, તે વખતે વપરાયેલ પાણી, રૂમાલ વગેરે તમામ સાથે કાચા દૂધ, દહીં કે છાશનો આભડછેટ રાખવો પડે. ૩) કઠોળવાળા ભોજનના વાસણ અને છાશ વપરાયેલ વાસણ ભેગા ન ધોવા. તે બન્નેનું ધોયેલ પાણી પણ ભેગું ન થવા દેવું. (જો છાશ એકદમ ગરમ ગરમ કરેલ હોય તો ઉપરની કોઈ કાળજીની જરૂર નથી. કેમકે તેમાં જીવો થતા નથી.) રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy