SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ માંગી માંગીને પેટીયું ભરવાનું, ચારે બાજુથી ફિટકાર મળે, કૂતરા કરતાં ય ભૂંડી દશા હોય. આવા માણસના ભવને શું કરવાનો? આ બધા દુઃખો અને દુર્ગતિઓથી બચવા માટે રાત્રિભોજનનો કાયમ માટે ત્યાગ કરી દેવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે. યોગશાસ્ત્રમાં રાત્રિભોજન માટે ઘણા શ્લોકો આપ્યા છે. તેમાંથી કેટલાક શ્ર્લોકો આપણે વિચારીએ. અનં પ્રેત-પિશાચાદ્ય:સંચદ્ધિ-નિરક શૈ:। उच्छिष्टं क्रियते यत्र तत्र नाद्याद् दिनात्यये ॥३ / ४८|| " ‘રાત્રે પ્રેત, પિશાચ વગેરે નિરંકુશપણે ફરતાં હોય છે. તેઓ અન્નને એઠું કરે છે, માટે સૂર્યનો અસ્ત થયા પછી ભોજન ન કરવું જોઈએ.’ પ્રેત, પિશાચ વગેરે દ્વારા જે અન્ન એઠું થયું છે તેનું ભોજન કરવાથી શરીર અને મન ઉપર વિપરીત અસર પડે છે. તેથી માણસનું મન ભ્રષ્ટ બને છે, ઉદ્ધત બને છે, પાપ વાસનાથી કલુષિત બને છે. એવા અઢળક દૃષ્ટાંતો છે કે રાત્રિભોજન કરનારો બીજી રીતે ધાર્મિક હોય તો પણ માનસિક રીતે ભ્રષ્ટ હોય. વિશ્વાસઘાત, ઘરમાં ક્લેશ, ધન માટે કોર્ટે જવું, ખૂનની ધમકીઓ આપવી, પરસ્ત્રીગમનાદિ દ્વારા વાસનાને પોષવાનો પ્રયત્ન કરવો વગેરે દુર્ગુણો તેના જીવનમાં પ્રવેશીને તેનું જીવન બરબાદ કરતાં હોય છે. धर्मविन्नैव भुञ्जीत कदाचन दिनात्यये । , बाह्या अपि निशाभोज्यं, यदभोज्यं प्रचक्षते ||३ / ४८ || ‘જૈન ધર્મને નહીં પામેલા બીજા લોકો (અન્ય ધર્મવાળા) પણ રાત્રિભોજનને અભોજન કહે છે, તો પછી ધર્મને જાણનારા જૈનોએ તો કયારેય પણ રાત્રિભોજનન કરવું જોઈએ.’ રાત્રિભોજનમાં પારાવાર જીવહિંસા છે, કેમકે સૂર્યનો અસ્ત થયા પછી અનેક જીવડાઓ ઉડવા માંડે છે. તે ભોજનમાં પડવાથી હિંસા થાય છે. અહિંસા પરમો ધર્મ: આ સૂત્રને સ્વીકારનારા અને તેના નારાઓ લગાવનારા કોઈપણ જૈન-અર્જુનથી રાત્રિભોજન શી રીતે થાય ? અજૈનો સૂર્યને ભગવાન માને છે. સવારે તેમની પૂજા કરે છે. તેમનાથી એ ભગવાનના વિરહકાળમાં (રાત્રે) ભોજન શી રીતે લઈ શકાય ? પદ્મપુરાણના પ્રભાસખંડમાં નરકના ચાર દ્વારો કહ્યા છે. પહેલું : રાત્રિભોજન, બીજું ઃ પરસ્ત્રીગમન, ત્રીજું : બોળ અથાણું, ચોથું : અનંતકાય (કંદમૂળ, લીલ-સેવાળ Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન - ૪ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy