SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે બટ્ટો લાગવાની સંભાવના છે. આજે તો ખાનદાનોના ઘરમાં પણ પ્રેમલગ્નો, છૂટાછેડા, દારૂ, દુરાચાર અને જુગારો ઘુસવા લાગ્યા છે. ટી.વી. આરોગ્યનો પણ સફાયો બોલાવે છે. એક વૈજ્ઞાનિકે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે જેઓ ટી.વી. જુએ છે તેઓ મોતની પ્રતિક્ષા કરી રહ્યા છે. કેમકે ટી.વી.નું સંચાલન એક્ષ-રે કિરણો દ્વારા થાય છે, જે કેન્સર અને વહેલું મૃત્યુ આપવા સક્ષમ છે. ટી.વી. થી સંતાનોનું જીવન બરબાદ થાય છે. આજના મા-બાપોને સંતાનોની પણ ચિંતા નથી. આધુનિક યુગમાં માનવી સૌથી વધુ સ્વાર્થી અને ભોગલંપટ બન્યો છે. ટી.વી. - એક તટસ્થ સમીક્ષા' નામનું એક પુસ્તક મારા જોવામાં આવેલ. તેમાં ટી.વી. અંગે જે વિગતો આપેલી તે ચોંકાવનારી હતી. એક્ષ-રે, બીટા-રે, આલ્ફા-રે વગેરે કિરણો આયનાઈઝિંગ કિરણ કહેવાય છે. આવા કિરણોથી ખાસ નુકશાન એ થાય છે કે તે શરીરમાં પરમાણુઓમાંથી ઈલેકટ્રોનને હઠાવી પરમાણુઓને આયોનાઈઝ કરી નાખે છે. જેથી જીવનક્રિયાઓમાં ઘણો અવરોધ પેદા થાય છે. આ કિરણોનો વધુ પડતો ઉપયોગ ઘાતક નીવડે છે. તે કેન્દ્રિય ચેતાતંત્રને ક્ષતિ પહોંચાડે છે. લોહીનું કેન્સર પેદા કરે છે, પ્રજનનના અંગોને હાનિ પહોંચાડે છે અને ભવિષ્યમાં જન્મનાર બાળકોમાં વિકૃતિ પેદા કરે છે. એ ભૂલવું ન જોઈએ કે ટી.વી. સેટનું સંચાલન આ કિરણોથી થાય છે. એક્ષ-રે શરીર ઉપર થોડા પડે કે વધુ પડે, તે નુકશાનકારક જ હોય છે. ઓછી શક્તિવાળા એક્ષ-રે પણ શરીરના કોષોને હાનિ પહોંચાડી શકે છે. આવા કિરણ એકવાર શરીર પર પડવાથી જે નુકશાન થયું હોય, તેમાં એ કિરણ ફરીવાર પડવાથી વૃદ્ધિ થતી હોય છે. પ્રયોગશાળામાં કે ડૉકટરો પાસે જે એક્ષ-રે યંત્રો હોય છે, એમાંથી પેદા થતા એક્ષ-રે પર ડૉકટર કે વૈજ્ઞાનિક પુરું નિયંત્રણ ધરાવતા હોય છે. અને એ કિરણ નિશ્ચિત દિશામાં, નિશ્ચિત સમય પૂરતાં જ પાડવામાં આવતા હોય છે, જ્યારે ટી.વી. સેટોમાં તો ઝડપી ઈલેકટ્રોન આખા સ્ક્રીન પર અથડાય છે અને એક્ષ-રે પેદા કરે છે. આ કિરણો બધી દિશામાં ફેલાય છે. તે ટી.વી. જોતી વ્યક્તિના શરીર ઉપર પડીને ભયંકર નુકશાન પહોંચાડી શકે છે. ડૉ. એચ. પી. શોએને કરેલો એક પ્રયોગ ધ્યાનમાં લેવા જેવો છે. તેમણે એક ગર્ભવતી કુતરી ઉપર બે માસ સુધી ટી.વી.ના કિરણો પડવા દીધા. તેને ચાર બચ્ચા થયા. એ ચારેયને લકવા હતો અને એમાંથી ત્રણ તો આંધળા હતા. Jain Education International For Private & Personal Use Only તત્વજ્ઞાન – ૮૭ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy