SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ૦ સંગીતિ દ્વારા સાક્ષાત્ શાંતિનું સુખ ઘણી સરળતાથી માણી શકે છે. પછી તે બ્રાહ્મણ હો, ઢેડ હો, ચમાર હો, મોચી હો, કોળી હો, વાઘરી હો, ક્ષત્રિય હો કે વૈશ્ય હો.’ લોકદીપક શ્રીબુદ્ધગુરુએ પોતાનો તમામ ઉપદેશ પોતાના સમયની આમજનતાની માગધી (પાલિ) ભાષામાં કરેલો છે, તેથી તેનો અધિકાર જિજ્ઞાસુમાત્રને છે એમ પણ સમજવાનું છે. તેમનાં પ્રવચનો અને ચર્યા તથા સદુપદેશો, ચર્ચાઓ, સુભાષિતો વગેરે મજિઝનિકાય, દીનિકાય, અંગુત્તરનિકાય, સંયુત્તનિકાય, ધમ્મપદ વગેરે અનેક મહાકાય ને લઘુકાય ગ્રંથોમાં જળવાયેલ છે. તે તમામનો સંક્ષિપ્ત સાર આ નીચેની ગાથામાં આવી જાય છે. सव्वपापस्स अकरण कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं एतं बुद्धान सासनं ॥ તમામ પ્રકારનાં પાપો ન કરવા, તમામ પ્રકારનાં કુશળ કર્મો-સત્કર્મો કરવાં અને પોતાના ચિત્તને શુદ્ધ કરવું એ બુદ્ધોનું શાસન છે. આ વૈશાખી પૂનમના પવિત્ર દિવસે શ્રી બુદ્ધગુરુનો જન્મ, તેમને બોધિજ્ઞાન અને તેમનું નિર્વાણ પણ તે જ દિવસે થયેલ છે, એટલે આપણે સારુ આ દિવસ પવિત્રમાં પવિત્ર છે; અને આ દિવસે આપણે એ સંતપુરુષનાં ગુણગાન કરી પવિત્ર બનવાનો પ્રયાસ કરીએ, તો આપણે માટે આ દિવસ ધન્ય જ ગણાય. Jain Education International -- અખંડ આનંદ, મે - ૧૯૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004849
Book TitleSangiti
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy