________________
મેઃ
इन्द्रियकषायसंज्ञा निगृहीता यैः सुष्ठु मार्गे । यावत्तावत्तेषां
पिहितं पापास्रवछिद्रम् ॥ १४१ ॥
અનુવાદ :
જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે છે, તેટલું તેમનું પાપાસવનું છિદ્ર બંધ થાય છે. (૧૪૧) સમજૂતી :
પાપાસવનું સ્વરૂપ વર્ણવ્યું છે. કાર્યમાં થતો પ્રમાદ, ચિત્તની કલુષતા, વિષયો પ્રત્યેની તીવ્ર આસક્તિ, અન્યને દુ:ખ દેવું અને અપવાદ આપવો ~~~ તે પાપાસવના કારણરૂપ છે. તીવ્ર મોહને કારણે ઉત્પન્ન થતી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા; કષાયને કારણે ઉદ્ભવતી કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યાઓની રાગદ્વેષજનિત ઇન્દ્રિયવશતા; આર્ટ અને રૌદ્ર ધ્યાન; અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન અને દર્શન-ચારિત્ર, મોહનીયથી ઉત્પન્ન મોહ ~ આ ભાવ-પાપાસવ છે. પૌદ્ગલિક કર્મોને કારણે થતા દ્રવ્યપાપાસવમાં આ ભાવો નિમિત્તરૂપ બને છે. ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો યથાશક્ય નિગ્રહ પાપાસવનો નિરોધ કરે છે. (૧૩૯-૧૪૧)
जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु ।
णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ।। १४२ ।। यस्य न विद्यते राग द्वेषो मोहो वा सर्वद्रव्येषु ।
नास्रवति शुभमशुभं समसुखदु:खस्य भिक्षोः || १४२ ॥
અનુવાદ :
જેને સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ નથી, તેવા સુખ દુ:ખમાં સમત્વ રાખનાર ભિક્ષુને શુભ અને અશુભ કર્મ આસ્રવતું નથી. (૧૪૨)
जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स । संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ॥ १४३ ॥ यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य । संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः ॥ १४३ ॥
અનુવાદ :
જે વિરક્તને યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત કર્મનો સંવર થાય છે. (૧૪૩)
Jain Education International
૦
For Private & Personal Use Only
www.jainelibrary.org