________________
અનુવાદ :
તે બેના સદ્ભાવથી (જીવ-પુદ્ગલની) ગતિ-સ્થિતિ તથા અલોક અને લોક થાય છે. વળી તે બંને વિભક્ત, અવિભક્ત અને લોકપ્રમાણ કહેવામાં આવ્યાં છે. (૮૭)
ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स। हवदि गदि स्स प्पसरो जीवाणं पुग्गलाणं च ।। ८८ ॥
न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य।
મતિ મત્તે સ: પ્રસી નવાનાં મુદ્રનાનાં ર. ૮૮ અનુવાદ :
ધર્માસ્તિકાય ગમન કરતો નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતો નથી; તે, ગતિ કરતા જીવો તથા પુગલોને માટે આશ્રયરૂપ છે. (૮૮).
विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि। ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति ॥ ८९ ॥ विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव संभवति ।
ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति ।। ८९ ॥ અનુવાદ:
જેમને ગતિ હોય છે તેમને જ વળી સ્થિતિ હોય છે તેઓ તો પોતાના પરિણામોથી ગતિ અને સ્થિતિ કરે છે. (૮૯) સમજૂતી :
અહીં ધર્મ અને અધર્મ દ્રવ્યની વિશિષ્ટતાઓ દર્શાવી છે. લોક અને અલોકનો વિભાગ ધર્મ અને અધર્મને કારણે જ બની શકે છે, માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, તેમનું અસ્તિત્વ છે. જીવ-પુગલના ગતિ અને સ્થિતિના બહિરંગ હેતુને લીધે ધર્મ અને અધર્મનો સ્વીકાર કરવામાં આવે છે. સ્વભાવધર્મની દૃષ્ટિએ તેઓ ભિન્ન છે, લોકાકાશના એક જ ક્ષેત્રમાં તેમનું અસ્તિત્વ હોવાથી, એકક્ષેત્રી હોવાથી અભિન્ન છે. સમસ્ત લોકમાં રહેલા જીવપુલોને ગતિ-સ્થિતિમાં સહાયક હોવાથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, લોકપ્રમાણ છે.
આ ધર્મ અને અધર્મ જીવપુગલોને ગતિ-સ્થિતિ કરવામાં હેતુભૂત કે પ્રેરક નથી. તે પોતે નિષ્ક્રિય છે, ઉદાસીન છે, પણ ગતિ કે સ્થિતિ કરવા ઇચ્છતા જીવને તેમ કરવામાં મદદરૂપ બને છે તે રીતે આ બંને દ્રવ્યો ધર્મ અને અધર્મ પોતે ગતિ કે સ્થિતિ કરતા નથી, પણ જીવપુદ્ગલો તેમને આધારે ગતિ-સ્થિતિ કરે છે અને
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org