________________
ભિન્ન પુદ્ગલ હોતું નથી તેમ ગુણો વિના દ્રવ્ય હોતું નથી. દ્રવ્ય અને ગુણોનો વસ્તુપણે અભેદ છે.
सिय अत्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि ॥ १४ ॥ स्यादस्ति नास्त्युभयमवक्तव्यं पुनश्च तत्रितयम् । द्रव्यं खलु सप्तभङ्गमादेशवशेन सम्भवति ॥ १४ ॥
અનુવાદ :
આદેશ અનુસાર દ્રવ્ય ખરેખર સાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિનાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું એમ સાત ભંગવાળું છે. (૧૪)
સમજૂતી :
દ્રવ્યના સંદર્ભમાં સમભંગીનું નિરૂપણ છે : (૧) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ’ છે, (૨) દ્રવ્ય સ્માત્ ‘નાસ્તિ’ છે, (૩) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને નાસ્તિ' છે, (૪) દ્રવ્ય ‘સ્યાત્’ અવક્તવ્ય’ છે, (૫) દ્રવ્ય સ્થાત્ અસ્તિ અને અવક્તવ્ય છે, (૬) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ અને અવક્તવ્ય’ છે અને (૭) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય’ છે.
દ્રવ્યને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સ્વભાવની દૃષ્ટિએ વર્ણવવામાં આવે છે.
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને સ્વચતુષ્ટય કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણપર્યાયોની આધારભૂત વસ્તુ પોતે; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ; સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણ – સ્વશક્તિ.
(૧) દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાથી ‘છે’. (૨) દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાથી ‘નથી’. (૩) દ્રવ્ય ક્રમશ: સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને નથી’. (૪) દ્રવ્ય યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘અવક્તવ્ય છે”. (૫) દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને અવક્તવ્ય છે”. (૬) દ્રવ્ય પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘નથી અને અવક્તવ્ય છે’. (૭) દ્રવ્ય સ્વચતુષ્ટયની, પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે, નથી અને અવક્તવ્ય છે' . એ પ્રમાણે અહીં સપ્તભંગી કહેવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org