________________
શ્રી પંચાસ્તિકાય સંગ્રહ
પ્રથમ શ્રુતસ્કંધ
૧. પદ્રવ્ય પંચાસ્તિકાય-વર્ણન મંમલાયણ અને વિષયની ભૂમિકા
इंदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवक्काणं । अंतातीदगुणां णमो जिणाणं जिदभवाणं ॥ १ ॥ इन्द्रशतवन्दितेभ्यस्त्रिभुवनहितमधुरविशदवाक्येभ्यः । अन्तातीतगुणेभ्यो नमो जिनेभ्यो जितभवेभ्यः ॥ १ ॥
અનુવાદ :
સો ઇંદ્રો જેને વંદન કરે છે, જેમની વાણી ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ છે, અનંત ગુણથી યુક્ત છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, તે જિનોને નમસ્કાર હો. (૧)
સમજૂતી :
પ્રથમ ગાથામાં રચનાકારે પ્રણાલિકા અનુસાર શ્રી જિનેશ્વરદેવને વંદન કર્યા છે. અનંત ગુણોથી યુક્ત એવા તેમની વાણી ત્રણે લોકને માટે હિતકારી, મધુર અને વિશદ છે. સો સો ઈંદ્રો તેમને વંદન કરે છે, એમ વર્ણવીને કવિએ શ્રી જિનેશ્વરદેવનો મહિમા ગાયો છે.
समणमुहुग्गदम चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमियं सुणह વોચ્છામિ ॥ ૨ ॥ श्रमणमुखोद्गतार्थं चतुर्गतिनिवारणं सनिर्वाणम् ।
एव प्रणम्य शिरसा समयमिमं शृणुत वक्ष्यामि ॥ २ ॥
અનુવાદ :
શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય, ચાર ગતિનું નિવારણ કરનાર અને નિર્વાણ સહિત એવા આ સમયને શિરસા પ્રણામ કરીને હું તેનું કથન કરું છું તે સાંભળો. (૨)
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org