SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ આવે છે અને તે જેને માટે એક ઘણું ઉપયોગી અને કેટલેક દરજજે ઇતિહાસીક વાંચન પુરું પાડી શકે એમ છે. મહાન મેગલ બાદશાહ અકબરને જુદા જુદા ધર્મો તરફ એક સરખે પ્રેમ હતું, અને કોઈ પણુ ધર્મ તરફ તીરસ્કાર હતે નહી એ બીના તે ઈતિહાસીક છે. તેમના વખતમાં જૈનોના મહાન આચાર્ય શ્રીહીરવિજયસૂરિ મેગલ શહેનશાહતમાં બાદશાહી માન મેળવવા પામ્યા હતા, અને તેમના પ્રતાપે જીવદયાના સંબંધમાં, તેમજ જૈન તીર્થો સંબંધમાં, કેટલાક ઉત્તમ હક જન કેમ મેળવવા પામી હતી, એ પણ એક ઇતિહાસીક સત્ય છે. એ સત્યને રાસ રૂપે ગોઠવનાર શ્રીમાન જન સંઘવી રૂષભદાસ કવિ હતા, અને તેમને લખેલે રાસ, આ પાંચમા મિક્તિકમાં છાપવામાં આવેલું છે. એ રાસમાં મંગળાચરણ કરી કવિ,હીર વંશનું વર્ણન આપી, ગુરૂ ઉપદેશના પરિણામે હીરવિજયજી કેવી રીતે જૈન સાધુની રક્ષા લે છે અને વૈરાગ્ય પ્રાપ્ત કરે છે તે દર્શાવી અકબર સાથેના, હીરવિજયના મેળાપનું, વાર્તાલાપનું, અને તેના પ્રભાવનું વર્ણન આપે છે, જે ઘણું અગત્યનું વાંચન છે. આગલા મિક્તિકોની માફક આ ઐક્તિમાં ગુજરાતી ભાષા ઉપર એક ઘણું જ વિચારણુય લેખ ન્યાયતીર્થ પડિત બેચરદાસ જીવરાજે લખેલે છે. જે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે બાબત ઉપર કેટલુંક વિચારણીય અને ગુર્જર સાક્ષરે માટે અગત્યનું વિવેચન પુરું પાડે છે. ગ્રંથમાં અકબર બાદશાહ સાથે હીરવિજયસૂરિના મેળાપનું એક ચિત્ર આપવામાં આવ્યું છે, જે એક જુના ચિત્ર ઉપરથી ઘણું ઉત્તમ રીતે તૈયાર કરવામાં આવ્યું છે, અને તેથી પુસ્તકની શોભામાં માટે વધારે થાય છે. એ પુસ્તક સુરત બડેખા ચકલાગોપીપરામાં આવેલી શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળાના લાઈબ્રેરીઅન પાસેથી દશ આનાની કિંમતે મળી શકશે. સાંજવર્તમાન પત્ર-મુંબાઈ પુ. ૧૫. અંક ૨૫૩. પેજ ૬. તા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy