SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩ ) ઓળખવા “ છે ? સબ્દનો ઉપયોગ કર્યો. મારી સમજ પ્રમાણે તે આર્ય અને અનાર્ય–સ્વેચ્છ–ના વિભાગનું ઉપલું કારણું હોય એમ ભાસે છે. સંસારની ભેગેલિક સ્થિતિ અને મનુષ્ય પ્રકૃતિ સર્વ કાળે સમાન જ હોતી નથી. પરંતુ તે પ્રાકૃતિક નિયમ પ્રમાણે બદલાયા કરે છે-જે કાળે જે દેશ આર્ય હોય છે તે જ દેશ કાળાંતરે અનાર્ય કહેવાય છે અને જે કાળે જે દેશ અનાર્ય હોય છે તે જ દેશ કાળાંતરે આય કહેવાય છે. એક એ પણ સમય હતો કે એક બીજા શહેરના અને એક બીજા દેશના મનુષ્યો મહ કલેશપૂર્વક પરસ્પર મળી શકતા અને આજે એ પણ સમય આવ્યો છે કે એ કઈ રડ્યો ખો જ પ્રદેશ હશે જેની સાથે આપણે કઈ પણ પ્રકારે સંબંધ ન હોય. માટે આપણે પ્રાચીન લેકેએ કરેલી આર્ય અને મલેચ્છની વ્યવસ્થામાં થોડું ઘણું ફેરવવાની જરૂર છે. કદાચ આપણે પ્રાચીન હસ્તિપુચ્છને જ પકડી રાખી પ્રાચીન પદ્ધતિમાં પરિવર્તન કરતાં અચકાઈએ તે પણ પ્રકૃતિ તે કેને વગર પૂછે કે કોઈનો ભય રાખ્યા સિવાય બધે ફેરફાર કરી નાખે છે, જેને આપણે ધર્મથી અબાધિત સમજી રાજીખુશીથી સહીએ છીએ. વધારે શું ? પણ પ્રાચીન જૈન મહર્ષિઓએ માલવ’ દેશને સ્પષ્ટતાપૂર્વક અનાર્ય ગણ્યો છે અને તે જ “માલવ” દેશને અત્યારે કઈ જેન અનાર્ય' કહેવાની હિમ્મત પણ ધરી શકે તેમ નથી. કારણ કે, ત્યાં જેનોનાં હજારે દેવાલય, તીર્થસ્થાને છે અને ત્યાં અનેક જૈન સાધુઓને વિહાર થયો હતો તથા થાય પણ છે. પૂર્વે ૧. આગળ જે અનાર્ય દેશોનાં નામો ગણાવ્યાં છે તેમાં - કખી રીતે “માલ” દેશને “અનાર્ય” ગણ્યો છે –લેખક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004839
Book TitleAnand Kavya Mahodadhi Part 5
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1916
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy