________________
૩ અ. પ્રસ્તાવના.
વિશ્વપ્રવર્તિત સર્વ ધર્મપન્થમાં તીર્થોનું મહામ્ય વર્ણવ્યું છે. જેમાં સિદ્ધાચલ પર્વતને ઉત્તમતીર્થ તરીકે તીર્થકરોએ કર્યો છે. મુસલમાને માને, પ્રીતિ ચરૂસેલમને, અને બૈદ્ધ બોધિવૃક્ષને તીર્થ તરીકે માને છે. હિંદુઓ ગંગા, કાશી, પ્રયાગ, જગન્નાથ, અને દ્વારકા વગેરેને તીર્થ તરીકે માને છે. આ પ્રમાણે અવલેતાં વિશ્વપ્રવર્તિત સર્વ ધર્મોમાં તીર્થોનું મહાભ્ય છે એમ સુજને અવબોધી શકશે. જેનાથી સંસારરૂપી સમુદ્ર તરી શકાય છે તેને તીર્થ કહેવાય છે. તીર્થના બે પ્રકાર છે. જગમતીર્થ અને સ્થાવરતીર્થ. જૈનદષ્ટિએ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘને જગમતીર્થ કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનને પણ શાસ્ત્રકારે તીર્થ કહે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારા તીર્થકરે-કેવલજ્ઞાનીઓનાં જ્યાં જ્યાં દીક્ષાકલ્યાણક, જન્મકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક, અને નિર્વાણુકલ્યાણક થએલાં હોય છે એવી ભૂમિને સ્થાવરતીર્થ કહેવામાં આવે છે. આચાર્યો ઉપાધ્યાયે અને સાધુઓએ જ્યાં ધ્યાન કરેલાં હોય છે અને જ્યાં મુક્તિપદ પામ્યા છે તેવી ભૂમિને પણ સ્થાવરતીર્થ કહેવામાં આવે છે. જૈનશાસદષ્ટિએ સમેતશિખર, તારગગિરિ, અબુદાચલ, ગિરનાર, અને અષ્ટાપદ વગેરે અનેક તીર્થોમાં સિદ્ધાચલતીર્થને ઉત્તમોત્તમ માનવામાં આવ્યું છે. શત્રુંજયગિરિ ઉપર અનેક આચાર્યો અનેક ઉપાધ્યાય અને અનેક મુનિયે ભૂતકાળમાં મુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org