SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તે સિવાય આચાર્યો પાસે દિવાન, મુનિમ, નોકરનર, અને સારી જાગીર કે ગામ હોય છે. જો કે અસલમાં તમામ સાધુએ વેત વસ્ત્રાજ ધરતા હતા, પણ લગભગ વિક્રમના ૧૭-૧૮મા સૈકામાં રાજારજવાડા, તેમજ બાદશાહ તરફથી સારૂં સન્માન પામી, ઘણુઓને તેઓ તરફથી જાગીરે, હાથી ઘોડા અને શિબિકા વિગેરે મળવાથી તેને ઉપગ કરવા લાગ્યા. આવું કેટલાક સમય ચાલવાથી તેઓના વંશજો ધીરે ધીરે લુપી થતા ગયા. ભવિષ્યમાં આમ ચાલે તે ધર્માનાયકેની કનિષ્ટ દશા થયા વિના રહે નહિ' એમ મહાપુરૂષોને દેખાવા લાગ્યું. આ ઉપરથી વિક્રમના ૧૮માં સૈકામાં પંન્યાસ શ્રી સત્યવિજ્ય, મહેપાધ્યાય શ્રીયશેવિજય, મહાત્મા શ્રીભોજસાગર, શ્રી જ્ઞાનવિમલસરિ, અને એવાજ અન્ય ઘણું મહત પુરૂએ એકત્ર થઈ પરિષદ ભરી ક્રિયા-ઉદ્ધાર કરવાનો વિચાર ચલાવ્યો. તેની સાથે બીજા પણ ઘણા સાધુઓ એકત્ર થયા પરિમહાદિ પાસે નહિ રાખવા વગેરેને સખ્ત નિયમ ઉપર કટિબદ્ધ થઈ ઘણા અલગ થયા અને તેમાં તે વખતે વિધમાન શ્રીવિજયસિંહસૂરિએ સંમતિ આપી, ત્યારથી આ વગ સંવેગી સાધુને નામે ઓળખાવા લાગ્યો. પણ શ્રી આચાર્યો ઉદ્ધાર ન કર્યો અને બીજાઓએ જ કર્યો તેથી આ ગણ સુધર્યો નહિ, બે ભેદ પડયા. આ ભેદ “સામાન્યચક્ષુદષ્ટિથી તુરત ઓળખાઈ આવે એવા પ્રકારને વેશમાં કોઈ ભેદ હેવો જોઈએ એમ વિચાર કરીને તે વખતથી સંવેગી સાધુઓએ પિતાના મૃત કપડાને કાથાચૂનાના રંગથી રંગી પીત બનાવી પીળા વસ્ત્ર ધારણ કરવા માંડયા. ક્રિયે દ્ધારકેની ઓળખાણુસારૂ માત્ર રંગભેદ કરવો પો. આ ઉપરથી શ્રીપૂએ અને ગોરજીઓએ માઠું લગાડવાનું નથી. તેમના વસ્ત્ર તહેવા છતાં પણ તેઓ ત્યાગી, વિરાણી મહાપુરૂષ હોય તો તેમને માનવામાં મને કશી હરકત નથી. પણ મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy