SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ६ षोडशकप्रकरणं પ્રસ્તાવના | 'भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम्' ‘સહુ મૂંગા શ્રુત બોલકું' એ પંક્તિ શ્રુતમાહાભ્ય વિશે ઘણું બોલી જાય છે. પરોપકાર૫રાયણ વિશ્વકલ્યાણકર શ્રી જૈનશાસનમાં શ્રુતજ્ઞાનની મહત્તા ગજબની છે. શેષ ચાર જ્ઞાનો સ્વબોધાનુકૂલ છે. એક શ્રુતજ્ઞાન એવું છે કે જે પરબોધાનુકૂલ છે. અતિવિશાળ શ્રુતસંદર્ભોમાંથી બહુ ભાગ તો આજે આપણને મળ્યો પણ નથી. તેમ છતાં જે થોડો ભાગ મળ્યો છે તેનું પાણ સંપૂર્ણ અવગાહન એક ભવમાં દુ:શકય લાગે. લબ્ધ શ્રુતનું અવગાહન ભલભલા જ્ઞાનાથન અલબ્ધ શ્રુત અંગે લુબ્ધ બનાવી મૂકે તેવું છે. ભગવદ્ પ્રદત્ત ત્રિપદીના આધારે રચાયેલ દ્વાદશાંગી (આગમો) અને તે તે આગમોના આધારે રચાયેલ અન્ય ગ્રન્થો - બન્ને મૃત માન્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો આગમ એટલે મૂળ બંધારણ (Constitution) અને અન્ય શ્રત એટલે બંધારણીય કલમોના આધારે ઘડાયેલા ધારા (Acts). તેમાં પાણ સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રન્થો ભલભલા વિદ્વાનોને ડોલાવી દે તેવા છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જેવા પ્રકાંડ વિદ્વાન અને સમર્થ સર્જકને ‘હરિભદ્રલઘુબાંધવ'ના બિરૂદથી નવાજવામાં આવે છે. એ હકીકત પાગ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં એક પીછું ઉમેરે છે. તેઓની શાસ્ત્રરચનાની પશ્ચાદભૂમિકા પણ રોમાંચક છે. પોતાના બન્ને શિષ્યો વિધર્મીઓ દ્વારા મોતને ઘાટ ઉતારાયેલા જાણીને તે જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી સતત અને સંક્ષુબ્ધ હતા. લમણે હાથ દઈને હતાશાની ઊંડી ગર્તામાં ગરકાવ થયેલા તેમની સામે દેવવાણી થઈ : ‘સૂરિજી ! સમગ્ર સંસાર છોડયા પછી શિવિયોગથી વિચલિત કાં બનો ?' 'ના ! દુ:ખ શિખવિયોગનું નથી' સૂરિજી બોલ્યા, "માત્ર નિર૫ત્યતાના યોગે મારા થકી થનારી નિર્મલ ગુરુકુલની સમાપ્તિના વિચારે મારું હૃદય ભાંગી પડયું છે. શાસનની પેઢીનું સુકાન સંભાળતી સમર્થ ગુરુપરંપરાને માત્ર એક પેઢી આગળ ધકેલવામાં પણ હું ઉગો ઉતરીશ ! આ વિચારવીંછી મને સતત ડંખી રહ્યો છે ! વિશ્વહિતૈષી શ્રી જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય છિનવાઈ જતું જાણીને દિલ રડી રહ્યું છે !'' ‘હરિભદ્રસૂરિજી !' નામગ્રહાણ પૂર્વક શાસનદેવી અંબિકા બોલી - ‘ગુરૂકુલવૃદ્ધિનું પણ તમારા લલાટે ભલે ન હોય! શાસ્ત્રો એ જ તમારા શિષ્યો બનીને તમારા પછી પણ સેંકડો વર્ષો સુધી જિનશાસનની સેવા કરનારા પુરોગામી સંઘને સહાયક બનશે. શિષ્યસંતતિના ઉછેદને રડો નહીં. શાસ્ત્રસંતતિના નિર્માણમાં ઉદ્યમી બનો !' અને... શાસનદેવીના ઉત્સાહવર્ધક વચનોએ હરિભદ્રસૂરિના અંતસ્તલમાં ઘૂઘવાતા જ્ઞાનવારિધિના મોજાઓને વ્હાર ફેંક્યા અને પરિણામે એક વિલક્ષાગ ચમત્કૃતિ સર્જાઈ ! પદાર્થોના એ પારાવારમાં ડૂબી જનારા તરવા લાગ્યા. ધનાશા પોરવાળે નલિનીંગુલમવિમાનાકારે બંધાવેલ રાણકપુરજીના ભવ્ય જિનપ્રાસાદની બહુજનપ્રસિદ્ધ એક લાક્ષણિકતા એ છે કે તે દેવાલયના ૧૪૪૪ થાંભલામાંથી કોઈ પણ થાંભલા પાસે ઉભા રહો. કોઈને કોઈ એંગલથી તમને પ્રભુજી દેખાશે જ, સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિજીરચિત ૧૪૪૪ ગ્રન્થોની પાણી આવી જ કોઈ લાક્ષણિકતા છે કે તમે કોઈ પણ ગ્રન્થ વાંચો એટલે કોઈ અલગ જ કાટખાગેથી જૈન દર્શનના સિદ્ધાન્તો નજરે ચડે છે. ૦ હારિભદ્રીય આવશ્યક વગેરે વિશાળકાય આગમિક ગ્રન્થો ૦ અનેકાન્તજ્યપતાકા જેવા મૂર્ધન્ય કક્ષાના દાર્શનિક ગ્રન્થો – લલિતવિસ્તરા જેવા દાર્શનિક + ભક્તિ ગ્રન્થો ૦ યોગદષ્ટિસમુચ્ચય જેવા અધ્યાત્મના ઉચ્ચ ગ્રન્થો ૦ પંચવસ્તુ જેવા આચાર ગ્રન્થો, હરિભદ્રવાડમય મહાનગરની આ બધી મનોહર ગલીઓ છે. આ મહાપુરૂષે ઘાણા સંગ્રહગ્રન્થો પાગ રચ્યા છે. જેમ કે : વિંશતિ-વિંશિકા, પંચાલકજી, અટકજી વગેરે. પ્રસ્તુત ગ્રન્થ પાગ તેવા જ પ્રકારનું એક પુષ્પ છે. ૧૬-૧૬ આર્યા શ્લોકોના ૧૬ અધિકારી એટલે શ્રી પોડશક પ્રકરણ. આ ગ્રન્થ ઉપર આચાદિવ શ્રી યશોભદ્રસૂરીશ્વરજી કૃત ટીકા ઉપરાંત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત યોગદીપિકાવૃત્તિ છે. મહદંશે તો બન્ને ટીકાઓમાં સામ્ય છે. પ્રસ્તુત પ્રકાશનમાં યોગદીપિકાવૃત્તિ ઉપર વિસ્તૃત ટીકા તથા યોગદીપિકાવૃત્તિનું ગુર્જર વિવેચન સમાવિષ્ટ છે. શ્રી ષોડશક પ્રકરાગ એક સંગ્રહ ગ્રન્થરૂપ હોવાથી ઘાણા વિષયો તેમાં આવરી લેવાયા છે. પ્રકરણના વિષય વિભાગ પર થોડો દષ્ટિક્ષેપ કરી લઈએ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy