SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ४ षाडशकप्रकरण (પ્રકાશકીય નિવેદન) સકળ શ્રીસંઘ સમક્ષ ષોડશક પ્રકરણ ગ્રંથની બીજી આવૃતિને બે ભાગમાં સટીક પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. ૧૪૪૪ ગ્રંથના સર્જનહાર સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ષોડશક પ્રકરણની રચના કરેલ છે. ધર્મની શરૂઆતથી માંડી મોક્ષ પ્રાપ્તિ સુધીનો માર્ગ એટલે કે આત્મા પરમાત્માસ્વરૂપ બને તે પર્યન્તની આત્મસાધના માટે ઉપયોગી ધર્મપરીક્ષા, ધર્મદેશના, ધર્મનું સ્વરૂપ વગેરે ૧૬ વિષયોનું આ ગ્રંથમાં પ્રકરણ તરીકે ઉલ્લેખ કરી નિરૂપણ કરવામાં આવેલ છે. દરેક પ્રકરણ ઉપર ૧૬ શ્લોક દ્વારા તે વિષયની મહત્વપૂર્ણ સમજણ આપતી રચના કરવામાં આવેલ છે. આ મૂળ ગ્રંથ ઉપર, લઘુહરિભદ્ર તરીકે ઓળખાતા વાધવિશારદ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે થગદીપિકા નામની ટીકાની રચના કરી છે. આ સુંદર ટીકા, મૂળ ગ્રંથના રહસ્યોને ખૂલ્લાં કરી ગ્રંથને સ્પષ્ટ કરે છે. તેમ છતાં ટીકાની ગહનતા, શબ્દસંકોચ-સંક્ષેપને કારણે મંદ ક્ષયોપશમવાળા મુમુક્ષને પદાર્થ હૃદયંગમ ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ અલ્પ પણ મધુર સ્વાદ માણ્યા પછી પદાર્થને પૂર્ણ રૂપે આરોગવાની ઉત્કંઠા જાગે તે પણ એટલું જ સહજ છે. તેથી વાચક વર્ગને વિસ્તૃત અને વિશદ બંધ થાય તે ધ્યાનમાં રાખી, વર્તમાનકાલીન પરમોપકારી પૂજ્યપાદ, ન્યાવિશારદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિજી મ.સા.ના પ્રશિષ્ય તથા શાસનપ્રભાવક પૂજ્ય મુનિરાજશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી વર્ષાવિજયજી મહારાજે કલ્યાણકંદલી નામની સંસ્કૃત ટીકાની રચના કરેલા છે. આ સરળ અને માહિતીપ્રદ છતાં રહસ્યોદ્ઘાટક એવી ટીકાને વાંચ્યા પછી વાસ્તવમાં તે કલ્યાણકંદલી છે એવું જણાયા વગર રહેશે નહિ. મૂળ ગ્રંથ અને ટીકામાં રહેલ ગૂઢ પદાર્થોની સરળતાપૂર્વકની સમજણ, પારિભાષિક શબ્દોની વ્યાખ્યા, દૃષ્ટાંત અને કથાનકોના વર્ણન, સ્વદર્શનના સિદ્ધાંતોને અનુરૂપ ઈતરદર્શનોના વિચારોની સાક્ષીઓ દ્વારા ગ્રંથમાં દર્શાવેલ તત્ત્વનિરૂપણનો સમન્વય, લોકોક્તિ અને ન્યાયની માહિતી વગેરે તેમજ ૫૬૦ થી વધુ અન્ય ગ્રંથમાંથી ઉદ્ધત કરેલ ૩૨૦૦ થી વધુ સાક્ષીપાઠો વગેરેથી આ ટીકા સમૃદ્ધ છે. આ ઉપરાંત મૂળગ્રંથ અને યોગદીપિકા ટીકાનો ગુજરાતીમાં અનુવાદ તેમજ વિશેષાર્થની તેઓશ્રીએ સફળતાપૂર્વકની રચના કરેલ છે. આ સર્વે શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ-મુંબઈ દ્વારા પ્રસ્તુત ગ્રન્થના બન્ને ભાગની પ્રથમ આવૃતિ પ્રકાશિત થયેલ હતી. પરંતુ પુસ્તષ્ક્રની નકલ ખલાસ થતાં તેની બીજી આવૃતિ પ્રકાશનનું કરવા માટે આવશ્યકતા જણાતી હતી. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ-મુંબઈની સંમતિથી અમારા ટ્રસ્ટને પ્રસ્તુત ગ્રંથરત્નના બન્ને ભાગનું એકી સાથે પ્રકાશન કરવાનો અમૂલ્ય લાભ મળી રહ્યો છે તે બદલ અમે અત્યંત પ્રમોદ ભાવને અનુભવીએ છીએ. પરમપૂજ્ય સકલશ્રીસંઘહિતચિંતક વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની દિવ્ય કૃપાથી અને પરમપૂજ્ય સિદ્ધાન્તદિવાકર શાસનપ્રભાવક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy