SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ થિા સાધર્મિકભક્તિભવનની પણ સુંદર સગવડ છે. પ્રાણીસૃષ્ટિના અબોલ પશુઓના રક્ષણ-પાલન માટે સુમતિ જીવરક્ષા કેન્દ્ર છે, જ્યાં આજે ૩૦૦થી ય વધુ મૂંગા ઢોરો આશ્રય પામેલ છે. ઈતિહાસના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી મહાવીરના ચરણસ્પર્શથી પવિત્ર થયેલ આ પાવન વસુંધરા છે. અગણિત વૃક્ષોથી છવાયેલ લીલા રંગની ચાદર પ્રભુશ્રી પાર્શ્વના વર્ણનું સૂચન કરે છે. પૂજાભક્તિ માટે રોપાયેલાં ૫00 ચંદન વૃક્ષો અત્રે ઉગી સુવાસિત ચંદનથી પ્રભુપૂજામાં સહાયક બનશે. જૈનધર્મનાં સાતક્ષેત્રોની મક્તિનું અને અનુકંપા-જીવદયાનું પ્રબળ આલંબન આ તીર્થ બની રહ્યું છે. મક્તિ, શૌર્ય, દાન, સેવા અને ધર્મભાવનાથી સેવાથી ભરપૂર સૌંદર્યમય જાણે ધરતીનું નંદનવન છે. મરુધરમાં ખીલેલું એક નવું કલ્પવૃક્ષ શ્રી પાવાપુરી તીર્થધામ જીવમેત્રી ધામ છે. પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણની પુણ્ય તીર્થભૂમિ શ્રી પાવાપુરી નામથી લઈને ભગવાન મહાવીરના ચરણોથી મંડિત પાવાપુરી જળમંદિર અને પ્રભુની પ્રથમ અને અંતિમદેશનાની સાક્ષીરૂપ ચતુર્મુખ પ્રતિમામંડિત સમવસરણ મંદિરનું નિર્માણ, ભગવાન મહાવીરના સત્તાવીશ ભવો, ચોવીસ વીર્થકરો, કેવલ્ય વૃક્ષ અને ચરણપાદુકા, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગરિરાજની રચના, શ્રી શત્રુંજય નદી, શ્રી શત્રુંજય સાથે સંકળાયેલ અનેક પુણ્ય સ્મારકો, ગુરુમંદિરો વગેરેનું અભૂતપૂર્વ આયોજન, ૫૦૦૦ અઠ્ઠમ ૧૫ આરાધકો, હજારો ઓળી આરાધકો, ચાતુર્માસ આરાધકો અને ઉપધાનતપ આરાધકોના તપ-જપ-બળથી આ ભૂમિ પવિત્ર છે. હજારો પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના ચરણસ્પર્શ અને તેમના રજ-કણથી બનેલ પવિત્ર વહારભૂમિ પણ છે. જય... જય... જય શ્રી પાવાપુરી તીર્થધામ-જીવમૈત્રી ધામ. - લિખિતમ્ કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ – શ્રી સુમતિ જીવરક્ષા કેન્દ્ર કે. પી. સંઘવી રિલીજીયસ ટ્રસ્ટ મંડળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy