SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જે વ્યક્તિ સર્વસંગનો ત્યાગ કરી, પોતાના સમગ્ર જીવનને પ્રભુ ચરણે સમર્પિત કરવા સર્વવિરતિ અને મહાવ્રતોનો સ્વીકાર કરી, એનું અખંડ પાલન કરે, તે જ પ્રભુની આજ્ઞાનું અખંડ આરાધના કરી શકે. ગૃહસ્થજીવનમાં એ શક્ય નથી. આમ છતાં આજ્ઞાના આદરમાં સાધુ અને શ્રાવક બંને સમાન જ. પાલનમાં સાધુ આગળ અને શ્રાવક પાછળ પણ આદરમાં બંને સમાન. શ્રાવકમાં પણ અલગ અલગ કક્ષા હોય. કોઈ બાર વ્રતધારી, કોઈ એકાદ વ્રતધારી તો કોઈ સમ્યક્તધારી. એ દરેકની ભૂમિકા મુજબ આજ્ઞાપાલનમાં ફરક, પરંતુ આજ્ઞાના આદરમાં કોઈ ફરક નહીં. આ નિર્ણય પહેલા કરવો પડશે. આજ્ઞાના આદર વિના શ્રાવક બની જ ન શકાય તો સંઘના વહીવટદાર શી રીતે બની શકાય? અમે પણ આજ્ઞા બાજુમાં મૂકી દઈએ તો સાધુરૂપે ન જ રહી શકીએ તો આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણીરૂપે કઈ રીતે રહી શકીએ ? શ્રી જૈનશાસનના કોઈ પણ અંગને લગતું કોઈપણ કાર્ય કરવાનો અધિકાર તેને જ મળે જે શ્રી જિનાજ્ઞા પ્રત્યે નતમસ્તક હોય. શ્રી જિનાજ્ઞા પ્રત્યેના સમર્પણ વિના શ્રી જેનશાસનના કોઈપણ અંગને લગતા કોઈપણ કાર્યને કરવાનો અધિકાર મળતો નથી અને અધિકાર વિના કાર્ય કરનાર પોતાની-પરની અને પ્રભુશાસનની વિડંબણા કર્યા વિના પણ રહેતો નથી. સમર્થ શાસ્ત્રકાર પૂજ્યપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશતક' ગ્રંથમાં જણાવ્યું છે કે – अहिगारिणो उवाएण, होइ सिद्धि समत्थवत्थुमि । “દરેક વસ્તુમાં અધિકારી વ્યક્તિને ઉચિત પ્રયત્ન દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.” એટલે આજ્ઞા પ્રત્યેનો આદર પ્રગટ્યા પછી પણ જૈનશાસનના કોઈ પણ અંગ માટે કાંઈ પણ કરવાનો દરેકને અધિકાર મળતો નથી. તે માટે કાક निराकाङ्क्षतया पूजा, कर्तव्या काङ्ख्या यतः । भक्तिच्छलेन देवस्य, प्रत्युताऽऽशातना भवेत् ।। - પાર્શ્વનાથ ચરિત્ર કઈક કામ કરી કાનના | ૪૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy