SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વાપર્યો છે. બહુશ્રુત બનવા માટે ગુરુસેવા અનિવાર્ય છે. ગુરુની સેવા કરીને ૧ - સૂત્રનો જાણ, ૨ – અર્થનો જાણ, ૩ – ઉત્સર્ગનો જાણ, ૪ - અપવાદનો જાણ, ૫ - ભાવની જાણ અને ૬ - વ્યવહારનો જાણ: એમ છ બાબતોનો જે નિષ્ણાત બને છે, તેનામાં બહુશ્રુતતા આવે છે. સાધુને માટે પણ ભગવાનની આજ્ઞા છે કે, કોઈ પણ નવા ગામમાં - સંઘમાં જવાનું થાય, ત્યાંની કોઈ પણ બાબતમાં કાંઈ કરવાનું કે કોઈ અભિપ્રાય આપવાનું થાય, ત્યારે પહેલાં ત્યાંના બહુશ્રુત શ્રાવકનો સંપર્ક કરી એની સાથે વિચાર-વિમર્શ કરવો. પછી જ કાર્ય કરવું કે અભિપ્રાય આપવો. તે તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી માહિતી ત્યાંના બહુશ્રુત શ્રાવકો પાસેથી સારી રીતે મળી શકે. તે ગીતાર્થ સાધુને બહુ ઉપયોગી બને. એમણે ઘણા ઘણા ગુરુભગવંતોના મુખે ઘણાં શાસ્ત્રો-પરંપરાઓ-આચરણાઓ આદિ સાંભળ્યાં હોય ને ગામ-સંઘની પરિસ્થિતિથી પણ એ વાકેફ હોય, તેથી પરિસ્થિતિનું સમ્યફ આકલન કરી સાધુને જણાવી શકે. પણ એમનું કામ ગુરુને કહેવા પૂરતું જ મર્યાદિત હોય. ગુરુને કહ્યું કે કામ પૂરું. પછી જે નિર્ણય આદિ લેવાનો હોય કે કાર્ય કરવાનું હોય તે ગીતાર્થ ગુરુને આધીન હોય. ગીતાર્થ ગુરુને માહિતી પહોંચાડવાનું કામ શ્રાવકનું છે, પણ પછીનો અધિકાર એનો નથી. હું આ કહીને તમારા અધિકાર ઉપર કાપ નથી મૂકતો, પણ જેનશાસનની ઊજળી મર્યાદાઓ અંગે તમારું ધ્યાન દોરવા માંગું છું. એક તરફ વિતરાગના શાસનનો અદનો આજનો દીક્ષિત સાધુ હોય ને બીજી તરફ મોટામાં મોટો ગણાતો શ્રાવક હોય તો પણ સાધુ એ સાધુ જ છે અને શ્રાવક એ શ્રાવક જ છે. શ્રાવકનું સ્થાન સાધુ ઉપર ક્યારેય હોઈ ન શકે. એ શ્રમણોનો ઉપાસક-સેવક જ હોય. એટલે જ તો શ્રાવક શ્રમણોપાસક તરીકે ઓળખાય છે. સાધુને શાસ્ત્રનિર્દિષ્ટ સંયોગોમાં ભગવાનની આજ્ઞા મુજબ જ્યારે અપવાદનું ઇલ ' , , RT 1 / जिनाज्ञा के भंग को देखकर जो मौन रह माध्यस्थ्य धारण कर बैठ जाते हैं, इस तरह अविधि की अनुमोदना से उनके भी व्रतों का नाश हो जाता है। सघकलक પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy