SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ frr - ૫ - ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧ – ૩૯ ભગવાન પૂજ્ય શા માટે ? શ્રી જિનેશ્વરદેવોની દયા એટલી ઊંચી છે કે એનો મર્મ પરખવો મુશ્કેલ છે. એ એવા દયાળુ છે કે, કેઈક પુષ્પની શય્યામાં પોઢનારાને એમણે ભોંય સૂતા કર્યા, પાટલે બેસી જમનારાને ભિક્ષા માગી લૂખું સૂકું જે મળે તેના પર નિભાવનારા બનાવ્યા, વાહનોમાં ફરનારા અને વિમાનોમાં ઊડનારાને પગે ચાલતા કર્યા, માથે છત્ર ધરાવનારાને ઊઘાડા માથાવાળા બનાવ્યા, ચક્રવર્તીઓ અને શેઠ શાહુકારોને ભિક્ષાવૃત્તિ ધરનારા બનાવ્યા, આ એમની કેવી દયા ! પાલખી, મેના તથા સિંહાસને બેસનારાને, જો એ બધામાં દુઃખ ન હોત તો એ અનંતજ્ઞાની દયાળુઓ એમને એ બધું શા માટે છોડાવત ? ભગવાન મહાવીરદેવ સુધર્મા ઇંદ્રને વિમાન લાવવાનું કહેત તો જરૂર લાવત પણ એમણે એ ન કહ્યું. ભગવાન વિમાનમાં બેસવા જોગા હતા કે પગે ચાલવા જોગા ? એ વિમાનમાં ન બેઠા માટે જ આપણને પૂજવા જોગા, નહિ તો નહિ. છતી સામગ્રીએ એમણે ત્યાગ કર્યો માટે એ પૂજ્ય અને ન મળવા છતાં ભીખ માગતા ફરીએ છીએ માટે આપણે હજી પૂજક રહ્યા.પૂજક રહ્યા હોઈએ તો પણ સારા પણ આપણે તો હજી ભીખારી જ રહ્યા છીએ. અસંખ્યાતા ઇંદ્રો જેમના સેવક એવા પ્રભુ ભિક્ષા શું કામ માગે ? વાહનમાં બેસવા જોગા હતા છતાં એ ન બેઠા. કારણ કે એ ત્યાગમાં જ કલ્યાણ માનતા હતા. એ જાણતા હતા કે ત્યાગમાં દિવ્યતા છે. જે સુખ વાહનમાં બેસીને ફરવામાં નથી તે સુખ પગે ચાલવામાં છે. જો એમાં સુખ ન હોત તો જ્ઞાની એ માર્ગ ન સ્વીકારત, પરંતુ એમણે પોતે એ માર્ગ સ્વીકાર્યો અને પછી જગતને ઉપદેશ્યો. રાજઋદ્ધિ વગેરેનો ત્યાગ કરી વર્ષો સુધી પ્રભુ અટવીમાં ભમ્યા. સાડાબાર વર્ષ અને પંદર દિવસમાં માત્ર ત્રણસો ઓગણપચાસ પારણાં, એવો ઘોર તપ તપ્યા. પારણામાં પણ આહાર અને પાણી ત્યાંને ત્યાં જ, બધું એક જ સાથે. આ બધું એમણે પોતાની જાત પર કર્યું અને પછી જગતના પ્રાણીઓને એ માર્ગે લાવવા પ્રયત્ન આરંભ્યા. આ કઈ દયા ? ઉપકારીઓની કરુણા કેવી ? નવાણું ક્રોડ નગદ સોનૈયાના માલીકને અને દેવાંગના જેવી આઠ રમણીઓના પતિને પરણ્યાની રાત્રે જ, એ સોનૈયા અને સ્ત્રીઓનો ત્યાગ કરાવી સંયમ માર્ગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy