SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : ભાવ રુણાની ભવ્યતા : 121 Ji18 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૭ શુક્રવાર તા. ૨૯-૧૧-૧૯૨૯ - વિવેકહીનને વાંધાનો પાર નહિ : • ક્ષણિક વિષયસુખમાં અસંખ્યાત જીવોનો ઘાત : • ધ્રુજતા હૈયાવાળા દયાળુ ન બની શકે • સાચા આસ્તિક્ય વિના સાચી અનુકંપા નહિ : • ભગવાન પૂજ્ય શા માટે ? • સામા પૂરે તરવા જ જૈનશાસન છે : • ઉપકારીઓની કરુણા કેવી ? નીતિ ધર્મને અનુકૂળ હોય તે જ માન્ય : • દયા અને નિર્દયતાનો ભેદ સમજો ! • દેવગુરુને નમો છો શા માટે ? • મૂર્તિપૂજા શા માટે ? • ન્યાયસંપન્ન વિભવનું રહસ્ય : • વિવેક પેદા થયા વિના ભગવાનની કરુણા ૦ ગુરુ પાસે તો વૈરાગ્યના પડછાયા હોય : નહિ સમજાય : • રજોહરણ છકાય જીવનું રક્ષક છે : વિષય : કરુણાની કિંમત - ત્યાગની સાથે કરુણાનો સંબંધ - સાધુ અને શ્રાવકની કરુણા. ભાવાંધતાથી બચવાની જે વાત ચાલી રહી છે, તેમાં કરુણા કેટલી ઉપકારક છે તે આ પ્રવચનમાં વિગતે સમજાવ્યું છે. કરુણા માટે હૈયું જેમ કોમળ હોવું જરૂરી છે, તેમ અવસરે કઠોર પણ કરવું પડે. ભગવાન અને ભગવાનના અનુયાયી ગણધરો આદિ મહાપુરુષો પણ એવી કરુણાના કારણે જ પૂજ્ય હતા. જિનને ઓળખવા માટે મૂર્તિની પૂજા છે, શરીરને સાચવવાનું તે પણ જીવદયા - સંયમ માટે જ, ક્ષણિક ભોગસુખોમાં અસંખ્ય જીવોનો ઘાત છે વગેરે વાતો સુંદર રીતે સમજાવી પ્રભુની કરુણાનું સ્વરૂપ નહિ સમજવાના યોગે આજના સુધારકોનો ઘોંઘાટ છે અને એ પ્રવાહની સામા પૂરે તરવા માટે જ જૈન શાસનની સ્થાપના છે, દેવ-ગુરુને ઓળખી એમની સેવા કરવી, સાધુની જયણા, ભિક્ષાચર્યા, શ્રાવકનું જીવન અને એની કરુણા વગેરે અનેક બાબતો સવિગત ચર્ચા છે. મુવાક્યાતૃત ગુણહીન પ્રત્યે તિરસ્કાર ન હોય પણ એની દયા જ હોય. • ધ્રૂજતા હયાવાળા દયાળુ ન બની શકે. • હૈયું મજબૂત જોઈએ પણ દૂર નહિ. • શરીરની સેવા પરિણામે સંયમ વધારવા કરવાની છે, પણ સંયમનો નાશ કરવા નહિ. • જેની દૃષ્ટિ ઊંધી તે સારી વસ્તુને પણ ઊંધા સ્વરૂપમાં લઈ જાય. • સામા પૂરે તરવા માટે જ જૈન શાસન છે. • શુદ્ધ દેવ-ગુરુ ધર્મને પણ પિછાણે તે સમ્યગ્દષ્ટિ, ન પીછાણે તે મિથ્યાદૃષ્ટિ છે. રત્નત્રયી તો સાધુ અને શ્રાવકની સાચી મિલકત છે. સમ્યગ્દષ્ટિ રૂપિયા, પૈસા, ટકાને તો કાંકરા જ માને. • વિષયાધીનો ભાન ભૂલેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy