SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 173 – ૩ઃ અશાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 – ૪૫ તમારાથી વધુ ચમકવાળી રહેલી. આ તો સાબુના ફીણના ગોટા કરે, પાણીના ફુવારા છોડે, પટિયા પાડે, તોય મોં પર તેજ ન મળે. કપાળ કોડિયા જેવું હોય ત્યાં તેજ આવે કયાંથી ? હવે તો રૂપાળા દેખાવા પફ પાવડરના લપેડા થાય છે. એનાથી તો ચામડી ઊલટી રૂક્ષ બનતી જાય છે. કૃત્રિમતા વધતી જાય છે. કુદરતી સૌંદર્ય હણાતું જાય છે. સભા : અનુભવ કરે તો ખબર પડે ને ? અનુભવ ક્યાંથી કરે ? સ્વતંત્રતાની વાત કરનારા શરીર પાછળ, સાહ્યબી પાછળ, મોજશોખ પાછળ ગુલામ બન્યા છે. કેટલાક તો કહે છે કે અમારે કમમાં કમ આટલી તો ખીસાખર્ચ જોઈએ જ. કમમાં કમ ચાર કપ ચા, તેથી વધારેનો હિસાબ નહિ, પાન સિગારેટ પણ એટલા જ, આ દશાવાળા ભીખ માગતા થાય એમાં નવાઈ છે? કહે છે કે દુનિયામાં ભિખારીપણું વધી ગયું છે; પરંતુ વધી ગયું નહિ પણ હાથે કરીને વધાર્યું છે. એવા વ્યસની અનાડીઓને સહાય કરવાથી પણ ફાયદો શો ? ઇરાદાપૂર્વક જે ભિખારી બને અને બીજાઓને બનાવે એની દયા શી ? હિંદુસ્તાનની પ્રજાને ખાવા માટે ચાર રોટલી નથી મળતી એવું કહેનારા સાચા નથી. આવક થોડી ને જાવક ઘણી એ વાત સાચી પણ એ જાવક શાની છે ? પેટ ભરવા માટે જ એ જાવક હોત તો ધૂળ નાખી, પણ આ તો સ્વાદ અને મોજશોખ માટે છે, અને એમાં જ મોકાણ મંડાણી છે. છ-આઠ રોટલીથી પેટ તો ભરાઈ જાય પણ આજુબાજુની ધાંધલ સત્યાનાશ વાળે છે. શાક કાંઈ આહાર નથી, એ તો સાધન છે. મારવાડમાં જાઓ તો ખબર પડે. એ આહાર ડબલ ખાય પણ શાક તો નામનું જ લે. શાક વધારે ખાવાની પ્રથા મારવાડ, મેવાડ, માળવા, કચ્છ વગેરે દેશોમાં નથી. હમણાં એ પ્રથા ત્યાં દેખાતી હોય તો તે અહીંની હવા ત્યાં પહોંચવાના કારણે. અહીં તો રોટલી બેચાર પણ બીજી ભાંજગડ ઘણી, એ ભાંજગડનો જ ખર્ચો વધારે. ખાંસી વગેરે તકલીફો એ ભાંજગડ જ ઊભી કરે છે. રોટલીથી ખાંસી ન થાય. ઠીક છે કે ગૃહસ્થાઈના પ્રમાણમાં અમુક વસ્તુઓ હોય પણ તે બહુ પરિમિત પ્રમાણમાં હોય. યુવાવસ્થાને જ્ઞાનીઓ ઉન્માદાવસ્થા કહે છે. કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે યૌવન વયે જે આત્માઓ ભોગમાં જોડાય છે તે મોક્ષની સાધનામાં જોડાય તો ન્યૂનતા શી રહે ? તમે જે વયને ભોગાવસ્થા માની છે, એને જ્ઞાનીઓએ ત્યાગાવસ્થા માની છે. યુવાવસ્થા એવી છે કે એ ધાર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy