SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ઃ ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ: 118 J-15 વિ.સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૦ મંગળવાર તા. ર૬-૧૧-૧૯૨૯ • સંસાર રોગ છે, મોક્ષ આરોગ્ય છે અને • નિયાણું પણ બે પ્રકારનું : ધર્મ ઔષધ છે : • માગવું એ જ પાપ : • ભગવાને ભોગને રોગની જેમ ભોગવ્યા : • બેય, ઉદ્દેશ અને આદર્શ કયો • સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો ભેદ : • ભગવાન વસ્તુતત્ત્વના પ્રકાશક : • માગણી કઈ કરાય, તે સમજો : • કર્માધીનને સ્વતંત્રતા ક્યાંથી ? • ભાવના ભવનાશિની ખરી પણ તે કઈ? • આજનો પંડિત તો પંડિતમાની છે : • સમ્યક્ત બીજનું ફળ મોક્ષ : • ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ : કાયમી ઉપાદેય રત્નત્રયી : વિષય: સંસાર અને મોક્ષનું સ્વરૂપ તેમજ પ્રભુ પાસે કરાતી માગણીનો વિવેક. દુઃખરૂપ સંસારમાં સુખ ક્યાંથી હોઈ શકે ? સુખ તો મોક્ષમાં જ હોય. એને રોગઆરોગ્યના રૂપકથી સમજાવી એ રોગથી છૂટી આરોગ્ય પામવા ધર્મ એ ઔષધ તુલ્ય છે, તેમ સમજાવ્યું છે. ત્યાર બાદ દાનાદિ ધર્મો સુપએ કઈ રીતે ? તપની શક્તિ કેવી ? ભગવાને ભોગ ભોગવ્યા તે કઈ રીતે ? એ વાતો સમજાવી વિસ્તારથી પ્રભુ પાસે કરવાની માગણીનું સ્વરૂપ, તેના પ્રકારો વગેરેની સમજાવટ કરી છે. એમાં પ્રસંગવશ નિયાણાનાં પ્રકારો બતાવી તીર્થકરોની ધર્મદેશનાનો ઉદ્દેશ, પ્રભુની યથાસ્થિત વસ્તુતત્ત્વની પ્રકાશકતા, સાચી સ્વતંત્રતા, આજના પંડિતોનો અહંકાર બતાવી સામે ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીના જીવનની ઉદાત્ત વિચારણા વગેરે અનેક બાબતો આ પ્રવચનમાં છણાઈ છે. મુવાક્યાત • સંસાર એ રોગ છે, મોક્ષ એ આરોગ્ય છે, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ એ ઔષધ છે. • સંસારની ક્રિયા, સંસારપોષક પ્રવૃત્તિઓ કુપથ્ય છે. ધર્મક્રિયા, ધર્મપોષક પ્રવૃત્તિ એ સુપથ્ય છે. કુગુરુઓ એ ઊંટવૈદ્ય છે અને સુગુરુઓ એ સાચા ચિકિત્સક છે. • કેવળ ભોજનની ઇચ્છા હોત તો આજની જે બેકારી છે તે ન હોત. • જે દયાના પરિણામે ભાવદયા ઘાયલ થતી હોય, એ દયા વસ્તુતઃ દયા નથી. • જેમ ભાવના ભવનો નાશ કરે તેમ વિપરીત ભાવના ભવને વધારે. • સમ્યક્તરૂપી બીજનું ફળ મોક્ષ છે. • વિષય-કષાયને આધીન રહેવું ને સ્વતંત્રતાની વાતો કરવી એ તો બુદ્ધિનું લિલામ છે. • અમે પામ્યા ઓઘો અને તમે પામ્યા તિલક. એ બેને કલંકિત ન કરીએ, માર્ગથી ચૂકી ન જઈએ, કોઈને વિખરૂપ ન બની જઈએ તો આપણે સંઘ, નહિ તો હાડકાંનો ઢગલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy