SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 124 જીવનને સુધારવાની કોઈ સુપ્રવૃત્તિ જ ન હોય અને જે આત્માઓ, પોતાની હાલત કે દશાનો વિચાર કર્યા વિના યેન કેન પોતાના બાહ્યાડંબરો અને લાલસાઓને પોષવામાં જ સજ્જ હોય તેઓ અનીતિ આદિ અનેક પાપોની ઉપાસનાથી જીવનની બરબાદી સિવાય કશું જ કરી શકવાના નથી. એવાઓને હું એમ કહી રહ્યો છું કે “કોઈ પણ જાતના લાભહાનિનો વિચાર કર્યા વિના યથેચ્છપણે વર્તવું, રાત્રે ખાવું, હોટેલ આદિમાં ભટકવું, કંદમૂળ આદિ અને એથીયે આગળ વધીને ભયંકર અભક્ષ્યનું ભક્ષણ કરવું અને નાટક તથા સિનેમા આદિને જોવામાં ભાનભૂલા બનવું. આ બધા જ રસ્તા જીવનને બરબાદ કરનારા છે : કારણ કે એ બધી કારવાઈઓ, ધર્મનું ભાન ભુલાવીને અનીતિ આદિમાં જોડી જીવનની ખાનાખરાબી કરનારી છે. આથી જિંદગી રસાતળ ચાલી ન જાય તે માટે જીવન પૂરું થાય તે પહેલાં અવશ્ય ચેતો. ધર્મ ભૂલેલાઓની દશા દયાપાત્ર છે : જેઓ, આજે ધર્મ ભૂલ્યા છે તેઓની દશા ખરે જ દયાપાત્ર છે. એવાઓને હિતકર વાતો પણ કડવી લાગે છે, એવાઓને હું કહું છું કે કડવું લાગે તો પણ એ કડવા ઘૂંટડા ગળી જાઓ. તેમ ન કરો અને રોજ સવારના ઊઠીને એક લાખ ને એક ગાળો ઉપકારીઓને દો તો પણ તેમાંની એક પણ ગાળ તેઓને નથી લાગતી. પોતાના દોષો છુપાવવા માટે તેઓની ઉપર ખોટાં આળો ચડાવો તેથી તેઓને કાંઈ જ નુકસાન નથી. તેઓ તો એમ જ માનનાર હોય છે કે આખુંયે જગત અમને સારા માને પણ જો અમારામાં સારાપણું ન હોય તો જ્ઞાનીઓ કહે છે કે ખાડો તૈયાર છે અને જગત ન માને છતાં પણ જો અમારામાં સારાપણું હોય તો અમને ડુબાવવા કોઈ તાકાત ધરાવતું નથી. શ્રી જૈનશાસનને માનનારા, ફકત ધર્મ ભુલાય ત્યારે મૂંઝાય તે સિવાય તેઓ મૂંઝાતા નથી અને મૂંઝાય તો જાણવું કે તેઓ હજુ ધર્મના રહસ્યને પામ્યા નથી અને પામ્યા છે તો પચાવી શક્યા નથી. આજની ધર્મવિરોધી બનેલી દુનિયાને, સ્થાવર તીર્થરૂપ દેવસ્થાનો અને જંગમ તીર્થરૂપ સાધુઓ ભયંકર આડખીલીરૂપ ભાસે છે. એથી એ દુનિયાની આગેવાની ભોગવતા કેટલાકો, દેવમંદિરો, સાધુપુરુષો અને શાસ્ત્રો આદિ માટે યથેચ્છ બોલે છે અને લખે છે. હું કહું છું કે એ પ્રમાણે બોલનારા આ સંસારમાં પણ સુખી થતા નથી. આજના જેઓ, એ કારમા ધંધા માટે છાપાની કૉલમો કાળી કરે છે અને સ્ટેજને ગજાવે છે, તેઓનું જીવન જુઓ તો એમ જ થાય કે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy